વરસાદ થંભ્યા બાદ પણ ગુજરાતમાં મુશ્કેલીઓ યથાવત, 40,500 લોકોનું સ્થળાંતર, 30 શ્રમિકોને એરલિફ્ટ કરીને બચાવ્યા
July 25, 2026
અતિભારે વરસાદ બાદ અમદાવાદ, વલસાડ, નવસારી અને સુરત સહિત અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ વચ્ચે લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં વ્યાપક નુકસાન થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા હોવાનું રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ 40,500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને 6,367 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
તાપી, વલસાડ, આણંદ, મહેસાણા અને પંચમહાલ જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત નોંધાયા છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ વાર્ષિક વરસાદના 90.98 ટકા અને નવસારી જિલ્લામાં 95.13 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ભારે વરસાદ અને પૂરની ગંભીર સ્થિતિને પગલે રાજ્યમાં આર્મી અને ભારતીય કોસ્ટગાર્ડને પણ બચાવ કામગીરીમાં જોડવામાં આવ્યા છે.
રાહત કામગીરી માટે આર્મીની બે ટુકડીઓ અમદાવાદ, બે વલસાડ અને બે નવસારીમાં તૈનાત કરવામાં આવી છે, જ્યારે ચાર ટીમોને રિઝર્વ રાખવામાં આવી છે. ઉપરાંત NDRFની 17 અને SDRFની 32 ટીમો રાજ્યભરમાં સતત બચાવ કામગીરી ચલાવી રહી છે.
દક્ષિણ ગુજરાતના ગણદેવી તાલુકાના મેંધર ગામ નજીક ઝિન્ગા તળાવ વિસ્તારમાં પૂર વચ્ચે ફસાયેલા આશરે 30 શ્રમિકોને ભારતીય કોસ્ટગાર્ડે એર રેસ્ક્યુ ઓપરેશન દ્વારા સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ શ્રમિકો 24 કલાકથી કાચા શેડના છાપરા પર ફસાયેલા હતા. સોશિયલ મીડિયા મારફતે મદદની અપીલ બાદ જિલ્લા વહીવટી તંત્ર, ભારતીય કોસ્ટગાર્ડ અને અન્ય એજન્સીઓના સંકલનથી હેલિકોપ્ટરની મદદથી તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026