વેગનરને જબરજસ્તી નિવૃત્તિ લેવાની ફરજ પડી: રોસ ટેલર

March 06, 2024

ન્યૂઝીલેન્ડના ખેલાડી નીલ વેગનરે તાજેતરમાં જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી સીરિઝ દરમિયાન ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો. જોકે, બાદમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથીએ કહ્યું કે આ ખેલાડીને ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં રમાડવામાં આવી શકે છે.

કિવી ટીમનો ખેલાડી વિલિયમ ઓ'રૉર્ક પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે મીડિયામાં એવા અહેવાલો છે કે આ કારણે નીલ વેગનરને નિવૃત્તિ પછી પણ રમાડવામાં આવી શકે છે. હવે ન્યૂઝીલેન્ડના પૂર્વ દિગ્ગજ કેપ્ટન રોસ ટેલરે નીલ વેગનરને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે નીલ વેગનરને જબરજસ્તી નિવૃત્તિ લેવાની ફરજ પડી છે.