સિંગર હાર્દિલ પંડ્યા પર હિંસક હુમલો, સોંગ ક્રેડિટ વિવાદમાં 'લોહીયાળ' જંગ
January 04, 2026
અમદાવાદ: અમદાવાદના વ્યસ્ત એસ.જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસે જાણીતા સિંગર હાર્દિલ પંડ્યા પર જીવલેણ હુમલો થતા સંગીત જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જૂની અદાવત અને સોંગ ક્રેડિટના વિવાદમાં ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને તેના સાથીઓએ હાર્દિલને બેરહેમીથી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં હાર્દિલના કાનનો પડદો ફાટી ગયો છે, જેના કારણે તે આગામી 4 મહિના સુધી ગાઈ શકશે નહીં.
મૂળ અમદાવાદના અને હાલ મુંબઈ સ્થાયી થયેલા સિંગર હાર્દિલ પંડ્યા અને ગુજરાતી સિંગર શ્યામ સિધાવત વચ્ચે એક વર્ષ પહેલા રિલીઝ થયેલા એક ગીતની ક્રેડિટ બાબતે વિવાદ ચાલતો હતો. હાર્દિલે આ અંગે લીગલ નોટિસ મોકલી હતી, જેના કારણે શ્યામ તેને અગાઉ પણ ધમકીઓ આપતો હોવાનો આક્ષેપ છે. હાર્દિલ પંડ્યા જ્યારે તેના મિત્રો સાથે 29 ડિસેમ્બરે એસ.જી. હાઈવે પર જઈ રહ્યો હતો, ત્યારે શ્યામ સિધાવત, પવન પરમાર અને અન્ય ચાર શખ્સોએ તેને આંતર્યો હતો. હથિયારો વડે થયેલા હુમલામાં હાર્દિલના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા ટાંકા લેવા પડ્યા છે. કાનનો પડદો ફાટી જવાથી તે બેભાન થઈ ગયો હતો. તબીબોના જણાવ્યા મુજબ, આગામી 3 થી 4 મહિના સુધી તે હાઈ-પિચ પર ગાઈ શકશે નહીં, જે તેના કરિયર માટે મોટો ફટકો છે.
ઘટના અંગે હાર્દિલે 30 ડિસેમ્બરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં વસ્ત્રાપુર પોલીસે શ્યામ સિધાવત સહિતના શખ્સો સામે ગુનો નોંધ્યો છે, પરંતુ પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે. હાર્દિલે તરત ફરિયાદ નોંધાવી હતી, પરંતુ સામે પક્ષે શ્યામની પત્નીએ છેક 4 દિવસ બાદ હાર્દિલ વિરુદ્ધ બીભત્સ શબ્દો બોલ્યાની ફરિયાદ નોંધાવી છે
Related Articles
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 3ના કમકમાટીભર્યા મોત
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો અ...
Feb 05, 2026
અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોની હાલાકી વધી
અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લા...
Feb 04, 2026
સુરતમાં રાજસ્થાનની યુવતીને 20 દિવસ ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચરાયું, બે આરોપીની ધરપકડ
સુરતમાં રાજસ્થાનની યુવતીને 20 દિવસ ગોંધી...
Feb 04, 2026
વડોદરા : હોડી પલટતાં 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા, તમામનો આબાદ બચાવ
વડોદરા : હોડી પલટતાં 8થી વધુ લોકો નદીમા...
Feb 03, 2026
વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં ૪૫,૦૦૦ હરિભક્તોએ લીધો શાકોત્સવનો પ્રસાદ
વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં ૪૫,૦૦૦ હરિભક...
Feb 03, 2026
વલસાડમાં નિર્માણાધીન ટાંકીનો સ્લેબનો ભાગ કકડભૂસ, ભ્રષ્ટાચારના આક્ષેપો થતા તંત્રમાં દોડધામ
વલસાડમાં નિર્માણાધીન ટાંકીનો સ્લેબનો ભાગ...
Feb 02, 2026
Trending NEWS
04 February, 2026
04 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026