વક્ફ બિલ ભાજપના સાથી પક્ષો પર ભારે પડ્યું ! JDU બાદ હવે RLDમાં ખળભળાટ
April 04, 2025
રાષ્ટ્રીય લોક દળના રાજ્ય મહાસચિવ શાહઝેબ રિઝવીએ વક્ફ બિલને પાર્ટીના સમર્થનથી નારાજ થઈને તેમના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે એક વીડિયો જાહેર કરીને જાહેરાત કરી અને પાર્ટી પ્રમુખ જયંત ચૌધરી પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, 'તેઓ ભટકી ગયા છે. મુસ્લિમોએ જયંત ચૌધરીને પૂરા દિલથી ટેકો આપ્યો હતો, પરંતુ તેમણે સમુદાય સાથે ન્યાય ન કર્યો.
રિઝવીએ આરોપ લગાવ્યો હતો કે, 'જયંત ચૌધરી ધર્મનિરપેક્ષતાના માર્ગથી ભટકી ગયા છે અને હવે તેમની નીતિઓ સમુદાયના હિતોની વિરુદ્ધ છે. મુસ્લિમોએ મોટી સંખ્યામાં જયંત ચૌધરીને મત આપ્યા હતા, પરંતુ તેઓએ અમારી સાથે ઉભા રહેવાને બદલે વકફ બિલને સમર્થન આપ્યું છે. જે અમારી લાગણીઓ અને અધિકારોની વિરુદ્ધ છે.'
રિઝવીએ તેમના વીડિયોમાં એમ પણ કહ્યું કે,'જે પક્ષોને મુસ્લિમોએ સમર્થન આપ્યું હતું, અને મુખ્યધારામાં લાવ્યા હતા, આજે એ જ પાર્ટીઓ તેમની વિરુદ્ધ બનેલા કાયદાઓનું સમર્થન કરી રહી છે.' તેમણે ખાસ કરીને જયંત ચૌધરીનું નામ લેતાં કહ્યું કે, 'જે નેતાઓ પોતાને ધર્મનિરપેક્ષ કહેતા હતા તેમણે આજે મુસ્લિમો સાથે દગો કર્યો છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય લોક દળ(RLD)ના 10 ધારાસભ્યો ચૂંટાયા હતા, જેમાં મુસ્લિમોનું મોટું યોગદાન હતું. મુસ્લિમોએ સર્વાનુમતે મતદાન કરીને આ પાર્ટીને મજબૂત બનાવી હતી, પરંતુ હવે જ્યારે તેમને જરૂર હતી ત્યારે પાર્ટીએ તેમને સાથ ન આપ્યો. તેમણે એમ પણ કહ્યું કે, 'સરકારો તો આવતી અને જતી રહશે, પરંતુ સિદ્ધાંતો સાથે સમાધાન ન કરવું જોઈએ. ચૌધરી ચરણ સિંહે બતાવેલા માર્ગથી ભટકવું યોગ્ય નથી. મુસ્લિમોના મનમાં વિશ્વાસ હતો કે આ પાર્ટી તેમના અધિકારોની વાત કરશે, પરંતુ હવે તેઓ છેતરાયા હોવાનો અનુભવ કરી રહ્યા છે.'
Related Articles
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026