Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

મુંબઈ એરપોર્ટ પર અકાસા એરલાઈન્સની ફ્લાઈટ સાથે કાર્ગો ટ્રક અથડાઈ, મોટી દુર્ઘટના ટળી

July 14, 2025

 મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે મોટી દુર્ઘટના ટળી છે. અહીં રન-વે પર ઉભેલી અકાસા એરલાઈન્સની ફ્લાઈટ સાથે કાર્ગો ટ્રકની ટક્કર થઈ છે. દુર્ઘટના બાદ એરલાઈન્સે કહ્યું કે, ‘ગ્રાઉન્ડ પર અકાસા એરલાઈન્સનું વિમાન ઉભુ હતું, આ દરમિયાન થર્ડ પાર્ટી ગ્રાઉન્ડ હેન્ડલરનું કાર્ગો ટ્રક તેની સાથે અથડાયું છે. દુર્ઘટના બાદ વિમાનની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

અકાસા એરલાઈન્સના પ્રવક્તાએ કહ્યું કે, ‘મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થર્ડ પાર્ટી દ્વારા ચલાવાતી કાર્ગો શીપ વિમાન સાથે અથડાયું છે. હાલ વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. અમે થર્ડ પાર્ટી ગ્રાઉન્ડ હેન્ડલર સાથે ઘટનાની તપાસ કરી રહ્યા છે.’