Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મને દબાવવા માટે મારા પરિવાર પર કેસ દાખલ કરાયા પૂર્વ CJI રમણાનો ગંભીર આક્ષેપ

November 02, 2025

અમરાવતી- ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) એન.વી.રમણાએ અમરાવતીમાં વીઆઈટી-એપી યુનિવર્સિટીના પાંચમા દીક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે જગન મોહન રેડ્ડીની સરકાર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, સાંવિધાનિક સિદ્ધાંતોનું રક્ષણ કરનારા ન્યાયિક અધિકારીઓએ પણ દબાણ અને ઉત્પીડનનો સામનો કરવો પડ્યો છે. જે ન્યાયાધીશોનો કોઈ રાજકીય કેસમાં હાથ નહોતો, તેમના પરિવારજનોને પણ રાજકીય સંગઠનોએ નિશાન બનાવ્યા હતા.

એન.વી.રમણાએ કહ્યું કે, તમે બધા જાણો છો કે મારા પરિવારને કેવી રીતે ટાર્ગેટ કરાયો અને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા. આ બધું માત્ર મને દબાવવા માટે કરવામાં આવ્યું હતું. તે મુશ્કેલ સમયમાં જે લોકો ખેડૂતોના મુદ્દાના પક્ષમાં હતા, તેમને પણ ધમકાવાયા અને દબાવાયા હતા.


પૂર્વ સીજેઆઈએ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સરકાર વિરુદ્ધના ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે સરકારે અમરાવતીને આંધ્ર પ્રદેશની એકમાત્ર રાજધાનીના બદલે ત્રણ રાજધાની યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. તેમાં વિશાખાપટ્ટનમને વહીવટી રાજધાની, અમરાવતીને વિધાનસભા રાજધાની અને કુર્નૂલને ન્યાયિક રાજધાની બનાવાઈ હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જ્યારે ઘણા રાજકારણીઓ પોતાનું વલણ લેવામાં ખચકાતા હતા અથવા મૌન રહેતા હતા, તે સમયે આ દેશના ન્યાયવિદો, વકીલો અને અદાલતો મારા બંધારણીય વચન સાથે ઊભા રહ્યા. સરકારો બદલાતી રહે છે, પરંતુ ન્યાયાલય અને કાયદાનું શાસન સ્થિરતાનો આધાર બની રહે છે.