Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

મતદાર પાત્રતા સાબિત કરવા આધાર કાર્ડ, વોટર ID, રૅશન કાર્ડ પર ભરોસો ન કરાય: SCમાં ચૂંટણી પંચની દલીલ

July 22, 2025

બિહારમાં ભારતીય ચૂંટણી પંચના આદેશને લઈને વોટર લિસ્ટ રિવિઝનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. વળી, બીજી બાજુ વિપક્ષ આ પ્રક્રિયા દ્વારા મતદારોને મતદાનથી વંચિત કરવાનો આરોપ લગાવી રહ્યા છે. જોકે, ચૂંટણી પંચે બિહારમાં મતદાર યાદીમાં ચેડાં કરવાના આરોપોને નકારી દીધા છે. બિહારમાં SIR મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું કે, 'અમે મતદાર યાદીમાંથી નકલી મતદારોને દૂર કરવા પોતાની બંધારણીય જવાબદારી નિભાવી રહ્યા છે, જેનાથી મતદારોને કોઈ તકલીફ નથી.' વળી, ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ અને રાશન કાર્ડ બિહારમાં મતદાર યાદી રિવિઝન માટે માન્ય દસ્તાવેજો નથી. કારણ કે આ દસ્તાવેજો પર ભરોસો કરી શકાય નહીં. ચૂંટણી પંચે કહ્યું કે, આધાર કાર્ડ ફક્ત એક ઓળખ પ્રમાણ છે. દેશમાં મોટી સંખ્યામાં નકલી રાશન કાર્ડ છે. જેથી હાજર મતદાર કાર્ડ પર નિર્ભર રહેવાથી વિશેષ અભિયાન નિરર્થક બની જશે. જોકે, ચૂંટણી પંચે એ વાત પર ભાર મૂકતા કહ્યું કે, મતદાર યાદીમાં નામ ન હોવાના કારણે કોઈ વ્યક્તિની નાગરિકતા સમાપ્ત નહીં થાય. મોડી સાંજે સુપ્રીમ કોર્ટમાં દાખલ એક વિસ્તૃત સોગંદનામામાં ચૂંટણી પંચે કહ્યું કે, 'આ પ્રક્રિયામાં કોઈપણ કાયદો અને મતદાતાઓના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન નથી થયું. SIR પ્રક્રિયા હેઠળ, કોઈ વ્યક્તિની નાગરિકતા એ આધાર પર સમાપ્ત કરવામાં નહીં આવે કે તેને મતદાર યાદીમાં નોંધણી માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યો છે. નકલી રાશન કાર્ડની વ્યાપક હાજરીને ધ્યાનમાં રાખીને યોગ્યતાની ચકાસણી માટે 11 દસ્તાવેજોની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.'