'અબ કી બાર 400 પાર ઘણું મુશ્કેલ..'-છગન ભુજબળનું મોટું નિવેદન
April 28, 2024
મુંબઈ : અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા છગન ભુજબળનું કહેવું છે કે 2014 અને 2019ની જેમ આ વખતે પણ ભાજપનો રસ્તો સરળ નથી. તેમણે દાવો કર્યો કે જે રીતે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટીઓ તૂટી છે, લોકોને બંને નેતાઓ પ્રત્યે સહાનુભૂતિ છે, જેનો ફાયદો તેમને આ વખતે લોકસભા ચૂંટણીમાં મળી શકે છે.
તેમણે એમ પણ કહ્યું કે એનડીએ માટે આ વખતે રસ્તો ઘણો મુશ્કેલ છે. જો કે, લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ક્ષમતામાં વિશ્વાસ છે અને તેઓ ઇચ્છે છે કે તેઓ ફરીથી દેશમાં મજબૂત સરકાર બનાવે. નાશિક સીટ પરથી પોતાનો દાવો પાછો ખેંચવા પર ભુજબળે કહ્યું કે મેં ક્યારેય કોઈની પાસેથી પોતાના માટે સીટ માંગી નથી. તેથી જ્યારે ત્રણ અઠવાડિયા સુધી તેમના નામની જાહેરાત ન થઈ, ત્યારે તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો. એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળ શરદ પવાર સાથેના વિભાજન વખતે અજિત પવારની સાથે ફ્રન્ટ ફુટ પર હતા. તેમણે કહ્યું કે આ વખતે મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન માટેનો રસ્તો એટલો સરળ નથી જેટલો 2014 અને 2019 દરમિયાન હતો. કારણ કે છેલ્લા બે વર્ષમાં મહારાષ્ટ્રના રાજકારણમાં રસપ્રદ ઘટનાક્રમો થયા છે. સૌપ્રથમ, 2022 માં, એકનાથ શિંદે ઉદ્ધવ જૂથથી અલગ થઈ ગયા અને તેમની સરકારને પાડી દીધી. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન સાથે સરકાર બનાવી. બીજા વર્ષે પણ બરાબર એ જ થયું. અજિત પવારે પણ શરદ પવારની એનસીપીથી અલગ થઈને આવું જ કર્યું, તેઓ હાલમાં મહારાષ્ટ્રમાં ડેપ્યુટી સીએમ છે અને મહાયુતિ ગઠબંધન સાથે સરકારમાં છે. છગન ભુજબલે કહ્યું, "મારું માનવું છે કે આ સહાનુભૂતિની લહેર હોઈ શકે છે. જે રીતે ઉદ્ધવ ઠાકરેની શિવસેના વિભાજિત થઈ અને એનસીપીના એક જૂથે પક્ષ બદલ્યો.
Related Articles
જો ભાજપ જીતશે તો અમિત શાહને PM બનાવશે અને યોગીની રાજનીતિ ખતમ કરી દેશે : કેજરીવાલ
જો ભાજપ જીતશે તો અમિત શાહને PM બનાવશે અન...
ત્રીજા તબક્કામાં 65.68 ટકા થયું ફાઈનલ મતદાન, ચૂંટણી પંચે જાહેર કર્યા આંકડા
ત્રીજા તબક્કામાં 65.68 ટકા થયું ફાઈનલ મત...
May 11, 2024
'ચૂંટણી વખતે વડાપ્રધાન મોદી બાળકની જેમ રડે છે, ઈન્દિરા ગાંધી પાસેથી શીખો...', પ્રિયંકા ગાંધી
'ચૂંટણી વખતે વડાપ્રધાન મોદી બાળકની જેમ ર...
May 11, 2024
છત્તીસગઢના બીજાપુરમાં અથડામણમાં 12 નકસલી ઠાર, સર્ચ ઓપરેશન યથાવત્
છત્તીસગઢના બીજાપુરમાં અથડામણમાં 12 નકસલી...
May 11, 2024
ઓડિશાના ભુવનેશ્વરમાં PM મોદીના ભવ્ય રોડ શોમાં ઉમટી ભીડ
ઓડિશાના ભુવનેશ્વરમાં PM મોદીના ભવ્ય રોડ...
May 11, 2024
સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા, 1 વાગે પ્રેસ કોન્ફરન્સ બાદ સાંજે રોડ શો
સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી વચગ...
May 11, 2024
Trending NEWS
11 May, 2024
10 May, 2024
May 11, 2024