Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

પહલગામ અને બાલતાલ બેઝ કેમ્પ ખાતે અમરનાથ યાત્રા સ્થગિત

July 30, 2025

અમરનાથ યાત્રા એકવાર ફરી સ્થગિત કરવામાં આવી છે. પહેલગામ અને બાલતાલ બંને જગ્યાએ અમરનાથ યાત્રા 30 જુલાઇ 2025 માટે સ્થગિત કરવામાં આવી છે. વહેલી સવારથી ભારે વરસાદને કારણે આજે પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પમાંથી શ્રી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા 2025 દરમિયાન અત્યાર સુધીમાં 3.93 લાખથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા છે તેમ I&PR જમ્મુ અને કાશ્મીર દ્વારા જણાવાયુ હતું.

કાશ્મીરના કમિશનર વિજય કુમાર બિધુડીએ જણાવ્યું કે અમરનાથ યાત્રા સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે આજે સવારથી બાલતાલ અને પહેલગામમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેથી બંને વિસ્તારોમાં શિબિરોથી યાત્રા શરૂ થઈ શકી નથી. શિબિરોમાં પાછા ફરતા યાત્રાળુઓને પણ જ્યાં છે ત્યાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે.