Breaking News :
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો

પહલગામ અને બાલતાલ બેઝ કેમ્પ ખાતે અમરનાથ યાત્રા સ્થગિત

July 30, 2025

અમરનાથ યાત્રા એકવાર ફરી સ્થગિત કરવામાં આવી છે. પહેલગામ અને બાલતાલ બંને જગ્યાએ અમરનાથ યાત્રા 30 જુલાઇ 2025 માટે સ્થગિત કરવામાં આવી છે. વહેલી સવારથી ભારે વરસાદને કારણે આજે પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પમાંથી શ્રી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા 2025 દરમિયાન અત્યાર સુધીમાં 3.93 લાખથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા છે તેમ I&PR જમ્મુ અને કાશ્મીર દ્વારા જણાવાયુ હતું.

કાશ્મીરના કમિશનર વિજય કુમાર બિધુડીએ જણાવ્યું કે અમરનાથ યાત્રા સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે આજે સવારથી બાલતાલ અને પહેલગામમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેથી બંને વિસ્તારોમાં શિબિરોથી યાત્રા શરૂ થઈ શકી નથી. શિબિરોમાં પાછા ફરતા યાત્રાળુઓને પણ જ્યાં છે ત્યાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે.