Breaking News :

અમેરિકા સાથે ટેરિફ વિવાદ વચ્ચે PM મોદીએ બોલાવી મહત્ત્વપૂર્ણ બેઠક,

August 18, 2025

અમેરિકા-ભારત વચ્ચે ટેરિફ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે 6.30 કલાકે ટોપ ઈકોનોમિક બોડીની મહત્ત્વની બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ મુજબ પીએમ મોદી ભારતીય અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે આર્થિક સલાહકાર પરિષદ સાથે બેઠક યોજશે. બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારામન સહિત સાત કેન્દ્રીય મંત્રીઓ ભાગ લે તેવી આશા છે. આ બેઠક વડાપ્રધાન મોદીના નિવાસસ્થાન પર સાંજે 6.30 કલાકે યોજાશે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ ઝિંકવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ભારત રશિયા પાસેથી બહોળા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદતું હોવાથી 27 ઓગસ્ટથી વધુ 25 ટકા ટેરિફ ઝિંકવાનો નિર્ણય કર્યો હતો. આમ અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંકવાની યોજના બનાવ્યા બાદ પીએમ મોદી આર્થિક સલાહકાર પરિષદ સાથે બેઠક યોજી રહ્યા છે. અમેરિકન ટેરિફના કારણે 40 અબજ અમેરિકન ડૉલરની ભારતીય નિકાસને અસર થવાની આશંકા છે.