બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુને જીવતો સળગાવી દેવાયો
January 25, 2026
ઢાંકા : બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી હિન્દુઓ વિરુદ્ધ સતત હિંસા વધી રહી છે. એક બાદ એક હિન્દુઓની હત્યાના કેસ સામે આવી રહ્યા છે. એવામાં હાલમાં જ બાંગ્લાદેશના નરસિંગદી જિલ્લામાં 23 વર્ષના ચંચલ ચંદ્ર ભૌમિક ઊંઘમાં જ જીવતો સળગાવી દેવાયો. ચંચલ એક ગેરેજમાં કામ કરતો હતો. ઢાકાથી 50 કિમી દૂર અજ્ઞાત હુમલાખોરોએ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. ચંચલની મોત બાદ બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા મામલે ફરી ગંભીર સવાલ ઊભા થયા છે. ચંચલ ખાનાબાડી મસ્જિદ પાસે એક ગેરેજમાં કામ કરતો હતો. રાત્રિના સમયે અજ્ઞાત હુમલાખોરોએ ગેરેજને જ આગને હવાલે કરી દીધી. પેટ્રોલ અને ઓઈલ જેવી વસ્તુઓ ગેરેજમાં પડી હોવાથી જોતજોતામાં આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. ગેરેજ પાસેના સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. જે બાદ પોલીસે આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. 2022ની વસતી ગણતરી અનુસાર બાંગ્લાદેશમાં 1 કરોડ અને 30 લાખ હિન્દુઓ રહે છે. હિન્દુઓની સંખ્યા કુલ વસતીના 7.95 ટકા છે. આ ઘટનાએ બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
Related Articles
NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા
NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ...
May 15, 2026
12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને ઃ રાહુલના PM પર પ્રહાર
12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર...
May 15, 2026
શુભેન્દુ અધિકારીના 'ખાસ' નેતાની દંડા વડે ધોલાઈ કરી, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી
શુભેન્દુ અધિકારીના 'ખાસ' નેતાની દંડા વડે...
May 15, 2026
ભારત અને UAE વચ્ચે સમજૂતી કરાર, હોર્મુઝ સ્ટ્રેટને કાર્યરત કરવા પર ભાર
ભારત અને UAE વચ્ચે સમજૂતી કરાર, હોર્મુઝ...
May 15, 2026
કેરલમના નવા મુખ્યમંત્રી ફાઈનલ, કે.સી.વેણુગોપાલનું પત્તું કપાયું, વી.ડી. સતીશનને મળી સત્તા
કેરલમના નવા મુખ્યમંત્રી ફાઈનલ, કે.સી.વેણ...
May 14, 2026
આંધી-તોફાન અને વીજળી પડવાથી 89ના મોત! ભારતના આ રાજ્યમાં કુદરતે વિનાશ વેર્યો
આંધી-તોફાન અને વીજળી પડવાથી 89ના મોત! ભા...
May 14, 2026