Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

ખાટુ શ્યામથી દર્શન કરીને આવી રહ્યા હતા શ્રદ્ધાળુઓ, 2 કાર ટકરાઇ, 5ના મોત

July 22, 2025

રાજસ્થાનના બિકાનેરમાં મંગળવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો.શ્રી ડુંગરગઢ વિસ્તારમાં બે કાર વચ્ચે અથડામણ થઇ જેમાં 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. નેશનલ હાઇવે 11 પર આ ઘટના બની. જેમાં બંને વાહનોના કૂરચેકૂરચા ઉડી ગયા.

પ્રાથમિક માહિતી મુજબ બંને કારના મળીને કુલ 5 લોકોના મોત થયા. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. એક કારમાં 4 શ્રદ્ધાળુઓ ખાટુ શ્યામથી દર્શન કરીને પરત આવી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે જીવ ગુમાવનારા બિકાનેરના રહેનારા હતા. કારમાં એટલી જોરદાર ટક્કર વાગી કે 2 લોકો તો કારના કાચ તૂટી જતા બહાર રસ્તા પર આવી પડ્યા હતા. મૃતદેહને કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

એક કારમાં સવાર લોકો ખાટુ શ્યામના દર્શન કરીને બિકાનેર પરત ફરી રહ્યા હતા જ્યારે બીજી કારના લોકો બિગ્ગાના રહેનારા હતા. બંને કારમાં કુલ 9 લોકો હતા. જેમાં કરણ, દિનેશ, મદન અને સુરેન્દ્રના તો ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. એક ઇજાગ્રસ્તને બિકાનેર હોસ્પિટલ લઇ જતી વખતે જ મોત થયું. ઘટનાને પગલે લગભગ 2 કલાકનો ટ્રાફિક જામ સર્જાયો હતો.