ભાજપમાં ફરી નવાજૂનીના એંધાણ? પૂર્વ CMના દિલ્હીમાં ધામાથી અટકળો તેજ
July 29, 2025
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ દિલ્હીમાં ધામા નાખતાં ભાજપમાં ફરી નવાજૂનીના એંધાણની અટકળો તેજ થઈ છે. મંગળવારે (29મી જુલાઈ) વસુંધરા રાજે સિંધિયાએ સંસદ ભવનમાં લગભગ 20 મિનિટ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ તેજ બની છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ મુલાકાત અનૌપચારિક હતી, પરંતુ તેને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનઈ રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે રાજસ્થાનની રાજકીય પરિસ્થિતિ, સંગઠનની ભાવિ વ્યૂહનીતિ અને આગામી નાગરિક ચૂંટણીઓ અંગે ચર્ચા થઈ હતી. જો કે, આ બેઠક અંગે કોઈપણ પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ ભાજપમાં ફરી નવાજૂનીના એંધાણની અટકળો તેજ થઈ છે. ખાસ વાત એ છે કે વસુંધરા રાજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. જોકે આ મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાન ભાજપમાં આંતરિક જૂથવાદ અને નેતૃત્વ અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને વસુંધરા રાજેના કેમ્પ અને સંગઠનાત્મક નેતૃત્વ વચ્ચેના સંબંધો હંમેશા સરળ રહ્યા નથી. પરંતુ હવે જ્યારે આગામી પેટાચૂંટણીઓ અને રાજસ્થાનમાં પંચાયત સ્તરની વ્યૂહનીતિ સક્રિય થઈ રહી છે, ત્યારે વસુંધરા રાજેની દિલ્હી મુલાકાતને એક વ્યૂહાત્મક ચાલ તરીકે જોવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, ભાજપ હાઇકમાન્ડ હવે ફરી એકવાર રાજસ્થાનમાં વસુંધરા રાજેને મોટી જવાબદારી આપવાનું વિચારી શકે છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને રાજસ્થાનમાંથી મોટી સફળતા મળી હતી, પરંતુ હવે સંગઠનને રાજ્યમાં સ્થિરતા અને સંકલનની જરૂર છે. આવી સ્થિતિમાં વસુંધરા રાજે જેવા અનુભવી નેતાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની શકે છે. વસુંધરા રાજે સિંધિયાએ દિલ્હી મુલાકાત અંગે હજુ સુધી કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. જોકે તેમના નજીકના સાથીઓ કહે છે કે તે સૌજન્ય મુલાકાત હતી, પરંતુ સમય અને સંદર્ભને ધ્યાનમાં લેતા તેને માત્ર ઔપચારિક ગણવું મુશ્કેલ છે.
Related Articles
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય:...
May 07, 2026
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના...
May 07, 2026
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હ...
May 07, 2026
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હે...
May 06, 2026
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર...
May 06, 2026
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માં...
May 06, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026