Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

CJI બીઆર ગવઇ હોસ્પિટલમાં દાખલ કરાયા, તેલંગણાની મુલાકાત દરમિયાન તબિયત લથડી

July 15, 2025

દેશના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઇને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ તેલંગણાના પ્રવાસ દરમિયાન તેમની તબિયત સારી ન હતી. તેઓ ગંભીર પ્રકારના સંક્રમણનો શિકાર બન્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમની હાલત હાલમાં સ્થિર છે. ડોક્ટરોએ કહ્યું કે એક બે દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા મળી જશે.

પીટીઆઇ સૂત્રોના જણાવ્યા મુજબ તેમની સ્થિતિ સારી છે. હાલ તેઓને શેનું સંક્રમણ થયુ છે તે જાણવા મળ્યુ નથી. પરંતુ તેઓની સારવાર ચાલી રહી છે અને હાલમાં તબિયત સારી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે સીજેઆઇ 12 જુલાઇના રોજ હૈદરાબાદ ગયા હતા જ્યાં નાલસર લો યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં તેમણે ભાગ લીધો હતો. મળતી માહિતી મુજબ તેમની તબિયત સારી ન હોવાથી તેઓ સુપ્રિમ કોર્ટમાં પણ બેઠા ન હતા.