Breaking News :
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો

'વધુ પડતા નામ કાપ્યા તો....', બિહાર SIR મામલે સુપ્રીક કોર્ટની ચૂંટણી પંચને ચેતવણી

July 29, 2025

બિહારમાં વોટર લિસ્ટમાં SIR (સ્પેશ્યલ ઇન્ટેસિવ રિવિઝન) અભિયાન પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને સલાહ આપતા કહ્યું કે, જો માસ એક્સક્લૂસન અથવા મોટી સંખ્યામાં નામ કટ કરવામાં આવ્યા તો કોર્ટે દખલગીરી કરવી પડશે. તમે એક બંધારણીય સંસ્થા છો, બંધારણ મુજબ ચાલો.' આ સિવાય કોર્ટે અરજદારોને વિશ્વાસ અપાવ્યો કે, મતદાર યાદીથી માસ લેવલ પર લોકોનું નામ કાપવામાં આવશે તો સુપ્રીમ કોર્ટ હસ્તક્ષેપ કરશે. આ મામલે આગળની સુનાવણી સુપ્રીમ કોર્ટ 12-13 ઓગસ્ટે કરશે.  સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી દરમિયાન કહ્યું કે, ચૂંટણી પંચે કોર્ટને વિશ્વાસ અપાવ્યો છે, જો તે તેનાથી અલગ થાય છે તો અમે જરૂર હસ્તક્ષેપ કરીશું.  અરજદારોએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, તે 1 ઓગસ્ટે પ્રકાશિત થયા બાદ ડ્રાફ્ટ સૂચિથી બાકી રહેતા લોકોને ચિહ્નિત કરે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, યાદીમાં નામ જોડવા અને સુધારા માટે 30 દિવસની પ્રક્રિયા છે. જો મોટાપાયે નામ બહાર કરવામાં આવશે તો અમે હસ્તક્ષેપ કરીશું.  ADRના વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે, ફોર્મ સબમિટ ન કરનારા 65 લાખ લોકોને બાકાત રાખવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે અરજદારોની આશંકા દૂર કરવાનો પ્રયાસ કર્યો કે, ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં લોકોને બાકાત રાખવામાં આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે અરજદારોને આ મામલે NGની ભૂમિકા ભજવવા કહ્યું અને કહ્યું કે, જ્યાં પણ કંઈ અલગ દેખાય તો કોર્ટને સૂચના આપો કોર્ટ હસ્તક્ષેપ કરશે.  ચૂંટણી પંચે દાવો કર્યો કે, આ યાદીમાં કાં તો મૃત્યુ પામેલા અથવા સ્થાયી રૂપે અન્ય કોઈ જગ્યાએ જતા રહેલા લોકો જ સામેલ છે. ચૂંટણી પંચના વકીલ રાકેશ દ્વિવેદીએ કોર્ટને જણાવ્યું કે, આ હજુ સુધી ફક્ત ડ્રાફ્ટ લિસ્ટ જાહેર કરાઈ છે. લોકો પોતાનો વાંધો નોંધાવી શકે છે. અંતિમ યાદી 15 સપ્ટેમ્બરની આસપાસ આવી શકે છે.