ઉન્નાવમાં ભીષણ અકસ્માત, ટ્રકે બસને મારી ટક્કરસ બે મહિલાઓ સહિત આઠના મોત, 20 ઈજાગ્રસ્ત
April 28, 2024
ઉન્નાવ : ઉત્તર પ્રદેશના ઉન્નાવ-હરદોઈ પર એક ફુલ સ્પીડે આવેલી ટ્રકે મીની બસને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં બે મહિલાઓ સહિત આઠ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા 20 લોકોને તુરંત હોસ્પિટલ ખસેડાયા છે. મળતા અહેવાલો મુજબ ટ્રકે બસને જમણી બાજુએ ટક્કર માર્યા બાદ બસના એક તરફની ચીથરા ઉડી ગયા છે. અકસ્માતમાં ડ્રાઈવરનું પણ મોત થયું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં રવિવારે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, બસના બે ફાડિયા થઈ ગયા હતા. અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃત્યુઆંક હજી વધી શકે છે.
બાંગરમાઉથી ઉન્નાવ જઈ રહેલી ખાનગી બસ સફીપુર કોતવાલી વિસ્તારના જમાલદીપુર ગામ પાસે પહોંચી હતી. આ દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવતી ટ્રકે તેને સીધી ટક્કર મારી હતી. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. નજરે જોનારાઓએ કહ્યું કે, ટ્રક અને બસના ડ્રાઈવરોએ પહેલા આગળ જવાની હોડ લગાવી હતી અને એકબીજાએ સાઈડ ન આપતા કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે.
Related Articles
જો ભાજપ જીતશે તો અમિત શાહને PM બનાવશે અને યોગીની રાજનીતિ ખતમ કરી દેશે : કેજરીવાલ
જો ભાજપ જીતશે તો અમિત શાહને PM બનાવશે અન...
ત્રીજા તબક્કામાં 65.68 ટકા થયું ફાઈનલ મતદાન, ચૂંટણી પંચે જાહેર કર્યા આંકડા
ત્રીજા તબક્કામાં 65.68 ટકા થયું ફાઈનલ મત...
May 11, 2024
'ચૂંટણી વખતે વડાપ્રધાન મોદી બાળકની જેમ રડે છે, ઈન્દિરા ગાંધી પાસેથી શીખો...', પ્રિયંકા ગાંધી
'ચૂંટણી વખતે વડાપ્રધાન મોદી બાળકની જેમ ર...
May 11, 2024
છત્તીસગઢના બીજાપુરમાં અથડામણમાં 12 નકસલી ઠાર, સર્ચ ઓપરેશન યથાવત્
છત્તીસગઢના બીજાપુરમાં અથડામણમાં 12 નકસલી...
May 11, 2024
ઓડિશાના ભુવનેશ્વરમાં PM મોદીના ભવ્ય રોડ શોમાં ઉમટી ભીડ
ઓડિશાના ભુવનેશ્વરમાં PM મોદીના ભવ્ય રોડ...
May 11, 2024
સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા, 1 વાગે પ્રેસ કોન્ફરન્સ બાદ સાંજે રોડ શો
સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી વચગ...
May 11, 2024
Trending NEWS
11 May, 2024
10 May, 2024
May 11, 2024