ભારત અને રશિયા વચ્ચે સ્થિર અને ટાઇમ-ટેસ્ટેડ પાર્ટનરશીપ : અમેરિકાને જવાબ
August 01, 2025
દિલ્હી : વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકા સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી છે. જેમાં ઈરાન સાથે વેપાર કરનારી ભારતીય કંપનીઓ પર અમેરિકા દ્વારા પ્રતિબંધ લાદવાની જાહેરાત મુદ્દે જયસ્વાલે જણાવ્યું હતું કે, અમે પ્રતિબંધો પર ધ્યાન આપ્યું છે, અને અમે તેના પર વિચાર કરી રહ્યા છીએ. ટેરિફના મામલે સરકાર તરફથી અનેક નિવેદનો જાહેર કરવામાં આવ્યા છે. જો કે, આ મુદ્દે વ્હાઇટ હાઉસને પૂછવામાં આવે તો યોગ્ય રહેશે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ મુદ્દે મજબૂત ભાગીદારી છે. હાલના દિવસોમાં સંરક્ષણ ભાગીદારી વધુ ગાઢ બની છે. 21મી સદી માટે ઇન્ડિયા-યુએસ કોમ્પેક્ટ પાર્ટનરશીપ થઈ છે. આ ભાગીદારીએ અનેક ફેરફારો અને પડકારોનો સામનો કર્યો છે. અમે અમારા એજન્ડા પર અડગ છીએ. જેના માટે બંને દેશ પ્રતિબદ્ધ છે. અમને વિશ્વાસ છે કે, આ સંબંધ આગળ પણ ચાલુ રહેશે. બંને દેશ વચ્ચે સંબંધ સંયુક્ત હિતો, લોકશાહી મૂલ્યો પર આધારિત છે.
મીડિયાએ સવાલ પૂછ્યો હતો કે, ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે ભારત એક દિવસ પાકિસ્તાન પાસેથી ક્રૂડ ખરીદશે. તેના પર તમે શું કહેશો? જેનો જવાબ આપતાં જયસ્વાલે કહ્યું કે, આ મામલે મારે કોઈ ટિપ્પણી કરવી નથી. રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ચાલુ રાખવા મુદ્દે પણ જયસ્વાલે મૌન ધારણ કર્યું હતું. ક્રૂડ ઓઇલની ખરીદી મામલે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચે સ્થિર અને ટાઇમ-ટેસ્ટેડ પાર્ટનરશીપ છે. અમે વિશ્વમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ વિકલ્પો પાસેથી ક્રૂડની ખરીદી કરીશું. તેમજ અમેરિકા તરફથી લાદવામાં આવેલા ટેરિફનો અભ્યાસ કરી સચોટ નિર્ણયો લઈશું.
Related Articles
AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સાંસદે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો દાવો
AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સ...
Apr 24, 2026
કોંગ્રેસ સહિત 73 સાંસદોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયાની માંગ
કોંગ્રેસ સહિત 73 સાંસદોએ રાષ્ટ્રપતિને લખ...
Apr 24, 2026
7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની
7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ...
Apr 24, 2026
હું પક્ષપલટો નહીં કરું...', સુરતમાં ઉમેદવારો પાસે એફિડેવિટ લેવાયાની ચર્ચા
હું પક્ષપલટો નહીં કરું...', સુરતમાં ઉમેદ...
Apr 24, 2026
ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી
ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે...
Apr 23, 2026
રામનગરમાં બ્લાઈન્ડ વળાંક પર બસ ખાડામાં ખાબકતા 20 લોકોના મોત અને 20 મુસાફરો ઘાયલ
રામનગરમાં બ્લાઈન્ડ વળાંક પર બસ ખાડામાં ખ...
Apr 21, 2026
Trending NEWS
23 April, 2026
23 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
21 April, 2026