Breaking News :
બ્રિટનમાં કીર સ્ટાર્મરના રાજીનામા બાદ રાજકીય અસ્થિરતા, નવા વડાપ્રધાન તરીકે એન્ડી બર્નહામ રેસમાં 3.56 કરોડની અપ્રમાણસર મિલકત એકઠી કરવાના આરોપમાં આણંદના તત્કાલીન અધિક કલેક્ટર સામે નોંધાયો કેસ ગર્ભાવસ્થા બાદ મહિલા ખેલાડીઓ વાપસી કરે તે હેતુથી ICCએ બનાવ્યો 16 અઠવાડિયાનો ખાસ પ્લાન કતારના ગેસ પ્લાન્ટમાં ટેકનિકલ ખામીથી બ્લાસ્ટ થતાં 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિલોમીટર દૂર દોહા સુધી આંચકા લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ

સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના: એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત

February 25, 2026

સુરતના વેસુની 'હેપી એલિગન્સ' બિલ્ડિંગમાં બાલમુકુન્દ નામના વ્યક્તિએ પત્ની અને બે માસૂમ દીકરીઓ સાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કરુણ ઘટનામાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. જેમાં બાલમુકુન્દ પોતે, તેની પત્ની તથા એક માસૂમ દીકરીના મોત નિપજ્યાં છે. જ્યારે એક પુત્રીનો બચાવ થયો છે. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મુળ બિહારના રહેવાસી બાલમુકુન્દ (પતિ), તેમની પત્ની અને એક માસૂમ દીકરી (ઉંમર 5 થી 7 વર્ષ) ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમગ્ર ઘટનામાં ત્રણ લોકોનાં મોત જ્યારે પરિવારની બીજી નાની દીકરીનો આબાદ બચાવ થયો છે.

મૃતક બાલમુકુન્દ મૂળ બિહારના વતની હતા અને છેલ્લા બે વર્ષથી સુરતમાં ઘરે બેઠા શેરબજાર (Stock Market) નું કામકાજ કરતા હતા. પરિવારે ખેતરમાં નાખવાની ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કર્યો હતો. આ ઘટનાને પગલે ચકચાર મચી ગઇ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 

પોલીસને ઘટનાસ્થળેથી ત્રણ પાનાની સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં આપઘાત પાછળના જવાબદાર કારણો અને વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુસાઈડ નોટમાં વૈભવ રુંગટા નામના શખ્સનું નામ સામે આવ્યું છે. આરોપી વૈભવ રુંગટા મૃતક બાલમુકુન્દને રૂપિયા માટે સતત ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ છે. આરોપીએ મૃતકની ગાડી અને ક્રેડિટ કાર્ડ પણ બળજબરીથી પડાવી લીધા હતા.આરોપીએ બાલમુકુન્દના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને બિનજરૂરી શોપિંગ પણ કરી હતી, જેના કારણે પરિવાર પર આર્થિક બોજ વધી ગયો હતો.