Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

ભારતના મોસ્ટ વોન્ટેડ મસૂદ અઝહર મળ્યું ઠેકાણું

July 19, 2025

ભારતની ગુપ્તચર એજન્સીઓને એક મોટી માહિતી મળી છે. હકીકતમાં જૈશ-એ-મોહમ્મદનો વડા અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ના ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રમાં છુપાયેલો છે. આ સ્થળ તેના જૂના ગઢ બહાવલપુરથી લગભગ 1000 કિલોમીટર દૂર છે જેના કારણે સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો થયો છે.

અગાઉ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું હતું કે અઝહર અફઘાનિસ્તાનમાં હોઈ શકે છે. 'તેમણે કહ્યું હતું કે, જો ભારત સરકાર માહિતી આપે કે તે પાકિસ્તાનમાં છે તો અમે તેની ધરપકડ કરવા તૈયાર છીએ.' હવે જે નવી માહિતી પ્રકાશમાં આવી છે તે આ દાવાને નબળી પાડે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની સ્થિતિને વધુ સવાલોથી ધેરવામાં આવે છે.

આતંકવાદી મસૂદ અઝહરને 2016ના પઠાણકોટ એરબેઝ હુમલા અને 2019ના પુલવામા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે જેમાં 40 થી વધુ CRPF જવાનો શહીદ થયા હતા. ભારત પાસે તેની વિરુદ્ધ મજબૂત પુરાવા છે અને સંયુક્ત રાષ્ટ્રે તેને પહેલાથી જ આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરી ચૂક્યું છે. જૈશ-એ-મોહમ્મદના ઓનલાઈન પ્લેટફોર્મ સતત મસૂદ અઝહરના જૂના ઓડિયો સંદેશાઓને ફરીથી રજૂ કરી રહ્યા છે જેથી તે બતાવવાનો પ્રયાસ કરી શકાય કે તે હજુ પણ બહાવલપુરમાં હાજર છે પરંતુ ગુપ્તચર સૂત્રો આ દાવાઓને ભ્રામક માને છે.