Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

ભારતના મોસ્ટ વોન્ટેડ મસૂદ અઝહર મળ્યું ઠેકાણું

July 19, 2025

ભારતની ગુપ્તચર એજન્સીઓને એક મોટી માહિતી મળી છે. હકીકતમાં જૈશ-એ-મોહમ્મદનો વડા અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ના ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રમાં છુપાયેલો છે. આ સ્થળ તેના જૂના ગઢ બહાવલપુરથી લગભગ 1000 કિલોમીટર દૂર છે જેના કારણે સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો થયો છે.

અગાઉ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું હતું કે અઝહર અફઘાનિસ્તાનમાં હોઈ શકે છે. 'તેમણે કહ્યું હતું કે, જો ભારત સરકાર માહિતી આપે કે તે પાકિસ્તાનમાં છે તો અમે તેની ધરપકડ કરવા તૈયાર છીએ.' હવે જે નવી માહિતી પ્રકાશમાં આવી છે તે આ દાવાને નબળી પાડે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની સ્થિતિને વધુ સવાલોથી ધેરવામાં આવે છે.

આતંકવાદી મસૂદ અઝહરને 2016ના પઠાણકોટ એરબેઝ હુમલા અને 2019ના પુલવામા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે જેમાં 40 થી વધુ CRPF જવાનો શહીદ થયા હતા. ભારત પાસે તેની વિરુદ્ધ મજબૂત પુરાવા છે અને સંયુક્ત રાષ્ટ્રે તેને પહેલાથી જ આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરી ચૂક્યું છે. જૈશ-એ-મોહમ્મદના ઓનલાઈન પ્લેટફોર્મ સતત મસૂદ અઝહરના જૂના ઓડિયો સંદેશાઓને ફરીથી રજૂ કરી રહ્યા છે જેથી તે બતાવવાનો પ્રયાસ કરી શકાય કે તે હજુ પણ બહાવલપુરમાં હાજર છે પરંતુ ગુપ્તચર સૂત્રો આ દાવાઓને ભ્રામક માને છે.