મોદીનો ટ્રમ્પને મેસેજ! 'ભારત અને ચીનનું સાથે મળીને કામ કરવું જરૂરી
August 29, 2025
હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાતે છે. ત્યારે શુક્રવારે (29 ઓગસ્ટ, 2025) વડાપ્રધાન મોદીએ 'ધ યોમિઉરી શિંબુન'ને આપેલા ઈન્ટરવ્યૂમાં ચીનને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારત અને ચીનનું મળીને કામ કરવું વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાં સ્થિરતા લાવવા માટે મહત્ત્વપૂર્ણ છે. ભારત દ્વિપક્ષીય સંબંધોને રણનીતિક અને દીર્ઘકાલીન દૃષ્ટિકોણથી, એકબીજાના સન્માન, હિત અને સંવેદનશીલતાના આધાર પર આગળ વધવા માટે તૈયાર છે.
ચીન સાથે સંબંધોમાં સુધારાના મહત્ત્વ પર પૂછવામાં આવેલા સવાલ પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના નિમંત્રણ પર હું અહીંથી તિયાનજિન જઈશ, જ્યાં હું શંઘાઈ સહયોગ સંગઠન(SCO) શિખર સંમેલનમાં ભાગ લઇશ. ગત વર્ષ કઝાનમાં રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મારી બેઠક બાદ અમારા દ્વિપક્ષીય સંબંધોમાં સતત અને સકારાત્મક પ્રગતિ થઈ છે. બે પાડોશી અને વિશ્વાસના બે સૌથી મોટા દેશ હોવાના નાતે ભારત અને ચીન વચ્ચે સ્થિર, અનુમાનિત અને મૈત્રીપૂર્ણ સંબંધો પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ પર સકારાત્મક અસર કરી શકે છે. આ એક બહુધ્રુવીય એશિયા અને બહુધ્રુવીય વિશ્વ માટે પણ મહત્ત્વપૂર્ણ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વ અર્થતંત્રમાં હાલની અસ્થિરતાને જોતા ભારત અને ચીન જેવા બે મોટા અર્થતંત્રનું મળીને કામ કરવું જરૂરી છે, જેથી વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા લાવી શકાય. ભારત એકબીજાના સન્માન, હિત અને સંવેદનશીલતાના આધાર પર દ્વિપક્ષીય સંબંધોને રણનીતિક અને દીર્ઘકાલિન દૃષ્ટિકોણથી આગળ વધારવા માટે રણનીતિક સંવાદને આગળ વધારવા તૈયાર છે, જેથી બંને દેશોના વિકાસ સંબંધી પડકારોને સંબોધિત કરી શકાય.
Related Articles
AAP સાંસદ અશોક મિત્તલ અને તેમની LPU યુનિવર્સિટી પર ઈડીના દરોડા, ડિજિટલ પુરાવા-મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા
AAP સાંસદ અશોક મિત્તલ અને તેમની LPU યુનિ...
Apr 15, 2026
નીરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: લંડનમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ગુપ્ત બેઠક, અંતિમ પ્રક્રિયા શરૂ
નીરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: લ...
Apr 15, 2026
અરુણાચલ મુદ્દે ફરી તણાવ: ભારતના વિરોધ બાદ ચીનનું નિવેદન કહ્યું, ‘ઝાંગનાન ચીનનો ભાગ’
અરુણાચલ મુદ્દે ફરી તણાવ: ભારતના વિરોધ બા...
Apr 15, 2026
મુંબઈના BKCમાં મેટ્રો કામ દરમિયાન મોટી દુર્ઘટના, ક્રેન પલટી જતાં બીમ ધરાશાયી
મુંબઈના BKCમાં મેટ્રો કામ દરમિયાન મોટી દ...
Apr 15, 2026
છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં 10ના મોત, 40થી વધુ શ્રમિકો દાઝ્યા
છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર...
Apr 14, 2026
Trending NEWS
14 April, 2026
14 April, 2026
14 April, 2026
14 April, 2026
13 April, 2026
13 April, 2026
13 April, 2026
13 April, 2026
13 April, 2026
13 April, 2026