એર ન્યૂઝીલેન્ડને મળ્યાં ભારતીય મૂળના CEO નિખિલ રવિશંકર
August 01, 2025
દિલ્હી : ભારતની બીજી સૌથી મોટી એરલાઇન એર ઇન્ડિયાએ પોતાના બિઝનેસની કમાન ન્યૂઝીલેન્ડના કેમ્પબેલ વિલ્સનને સોંપી દીધી છે, ત્યારે હવે ન્યૂઝીલેન્ડની સૌથી મોટી એરલાઇન એર ન્યૂઝીલેન્ડે તેની કમાન ભારતીય મૂળના નિખિલ રવિશંકરને સોંપી છે. એર ન્યૂઝીલેન્ડે જાહેરાત કરી છે કે નિખિલ રવિશંકરને 20મી ઓક્ટોબર 2025થી કંપનીના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) બનાવવામાં આવશે. કંપનીના વર્તમાન સીઈઓ ગ્રેગ ફોરનનો કાર્યકાળ ઓક્ટોબરમાં સમાપ્ત થઈ રહ્યો છે.
ભારતીય મૂળના નિખિલ રવિશંકર હાલમાં એર ન્યૂઝીલેન્ડના ચીફ ડિજિટલ ઓફિસર છે. અગાઉ તે સ્ટાર એલાયન્સ સાથે પણ સંકળાયેલા છે, જ્યાં તેમણે પાંચ વર્ષ સેવા આપી છે. આ ઉપરાંત તે ન્યૂઝીલેન્ડની એનર્જી ફર્મ વેક્ટર સાથે ચીફ ડિજિટલ ઓફિસર તરીકે પણ જોડાયેલા હતા. નિખિલ રવિશંકર આઈટી કંપની એક્સેન્ચરના ન્યૂઝીલેન્ડ યુનિટમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. હવે એર ન્યૂઝીલેન્ડની કમાન પણ તેમના હાથમાં આવવાની છે.
એર ન્યૂઝીલેન્ડે એવા સમયે નિખિલ રવિશકરને કમાન સોંપી છે, જ્યારે તે ગ્લોબલ માર્કેટમાં સતત દબાણ છે અને ખર્ચ પણ ઝડપથી વધી રહ્યો છે. કંપનીના બોર્ડનું કહેવું છે કે 'અમે ક્યારેય કોઈ પણ મોટો નિર્ણયો લેવામાં અચકાતા નથી અને નિખિલ પાસે લીડરશીપ છે જે અમારી કંપની માટે જરૂરી છે. તેમનું વિઝન અમારી એરલાઇનને ગ્લોબલ માર્કેટમાં અગ્રણી સ્થાન અપાવવા માટે પૂરતું હશે.'
ભારતીય નિખિલ રવિશંકરે અભ્યાસ પણ ન્યૂઝીલેન્ડમાં કર્યો છે. તેમણે ઓકલેન્ડ યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ડિગ્રી મેળવી હતી અને પછી યુનિવર્સિટીના સ્ટ્રેટેજિક સીઆઈઓ પ્રોગ્રામ માટે મેન્ટોર તરીકે પણ કામ કર્યું હતું. તે યુનિવર્સિટીના ટેકનિકલ વિભાગના સભ્ય પણ છે અને ઓકલેન્ડ બ્લૂઝ ફાઉન્ડેશનની સમિતિના સલાહકાર પણ છે.
Related Articles
AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સાંસદે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો દાવો
AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સ...
Apr 24, 2026
કોંગ્રેસ સહિત 73 સાંસદોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયાની માંગ
કોંગ્રેસ સહિત 73 સાંસદોએ રાષ્ટ્રપતિને લખ...
Apr 24, 2026
7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની
7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ...
Apr 24, 2026
હું પક્ષપલટો નહીં કરું...', સુરતમાં ઉમેદવારો પાસે એફિડેવિટ લેવાયાની ચર્ચા
હું પક્ષપલટો નહીં કરું...', સુરતમાં ઉમેદ...
Apr 24, 2026
ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી
ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે...
Apr 23, 2026
રામનગરમાં બ્લાઈન્ડ વળાંક પર બસ ખાડામાં ખાબકતા 20 લોકોના મોત અને 20 મુસાફરો ઘાયલ
રામનગરમાં બ્લાઈન્ડ વળાંક પર બસ ખાડામાં ખ...
Apr 21, 2026
Trending NEWS
23 April, 2026
23 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
21 April, 2026