Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

નીતિશ કુમારની મોટી જાહેરાત, પત્રકારોને દર મહિને મળશે 15000 રૂપિયા પેન્શન

July 26, 2025

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચૂંટણી વર્ષમાં એક બાદ એક મોટી જાહેરાત કરી રહ્યા છે. ત્યારે વધુ એકવાર નીતિશ કુમારે મહત્વની જાહેરાત કરી છે. નીતિશ સરકારે રાજ્યના પત્રકારોને મળનારા પેન્શનની રકમ 6 હજારથી વધારીને 15 હજાર કરી દીધી છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાણકારી આપી.

સીએમ નીતિશ કુમારે કહ્યું કે પત્રકારોને પેન્શનની રકમ અઢી ગણી વધારી છે. દર મહિને 15000 રૂપિયા મળશે જે પહેલા 6000 હતી. તેમણે એમ પણ કહ્યું કે પત્રકારોએ લોકતંત્રનો ચોથો સ્તંભ છે. તેમની લોકતંત્રમાં મહત્વની ભૂમિકા છે. તેઓ સારી સુવિધાઓ મળે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. તેઓ નિષ્પક્ષ રીતે પત્રકારિતા કરી શકે અને સેવા નિવૃત્તિ ઉપરાંત સન્માનજનક રીતે પોતાનું જીવન જીવી શકે છે.

મહત્વનું છે કે સીએમ નીતિશ કુમારે વવૃદ્ધ, દિવ્યાંગ તેમજ વિધવાને મળતી પેન્શનની રકમમાં વધારો કરી જ ચૂક્યા છે. આ ઉપરાંત 125 યુનિટ સુધી ફ્રી વીજળી યોજના પણ લાગુ કરી છે. મહત્વનુ છે કે બિહારમાં આગામી મહિનાઓમાં ચૂંટણીઓ શરૂ થવાની છે જેને લઇને સીએમ નીતિશ કુમાર મોટી મોટી જાહેરાત કરી રહ્યા છે.