Breaking News :
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો

દિલ્હી-NCRમાં જુના વાહનોના માલિકો પર કોઈ એક્શન લેવામાં નહીં આવે : સુપ્રીમ કોર્ટ

August 13, 2025

દેશની રાજધાની દિલ્હીમાં 10 વર્ષ જુના ડીઝલ વાહનો અને 15 વર્ષ જુના પેટ્રોલ વાહનોના માલિકો માટે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે કહ્યું કે હાલમાં આ વાહનોના માલિકો વિરૂદ્ધ કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી નહીં થાય. આ આદેશ મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ, જસ્ટિસ વિનોદ કે ચંદ્રન અને જસ્ટિસ એનવી અંજારિયાની ખંડપીઠે આપ્યો છે. 
 
ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું કે આગામી 4 અઠવાડિયા સુધી આવા વાહન માલિકો પર કોઈ દંડ કે કાર્યવાહી કરવામાં આવશે નહીં, માત્ર એટલા માટે કારણ કે તેમની પાસે ડીઝલ વાહન 10 વર્ષ જુના અને પેટ્રોલ વાહન 15 વર્ષ જૂનું છે. કોર્ટે આ મામલે નોટિસ જાહેર કરી છે અને સંબંધિત પક્ષો પાસેથી 4 અઠવાડિયાની અંદર જવાબ માગ્યો છે. ત્યારબાદ કેસની સુનાવણી કરવામાં આવશે.

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યુંકે પહેલાની ગાડીઓ 40થી 50 વર્ષ સુધી ચાલતી હતી અને આજે પણ ઘણી વિન્ટેજ કાર હાજર છે. તેમને પ્રશ્ન કર્યો કે માત્ર ઉંમરના આધાર પર વાહનને ભંગાર માનવું યોગ્ય નથી. કોર્ટે સંકેત આપ્યો કે આ મુદ્દા પર વધારે વિચાર કરવાની જરૂર છે. ખાસ કરીને ત્યારે જ્યારે વાહનોની સ્થિતિ અને તેમની પ્રદૂષણ સ્તર અલગ અલગ હોય શકે છે.