અમેરિકામાં નોકરી કરતાં ભારતીયોને વધુ એક ઝટકો! ઓટોમેટિક રિન્યૂ નહીં થાય આ લોકોના વર્ક પરમિટ
October 30, 2025
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે પ્રવાસીઓ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. જે અમેરિકામાં રહેવા અને કામ કરવાની મંજૂરી પર સીધી અસર કરશે. આ નવો નિયમ EAD ધરાવતા પ્રવાસીઓને કામ કરવાની મંજૂરી નહીં આપે, જેમણે પોતાની વર્ક પરમિટની મુદ્દત પૂર્ણ થયા પહેલાં જ વિઝા રિન્યુઅલ માટે અરજી આપી છે. આ નિયમ પૂર્વ પ્રમુખ જો બાઈડેનની વિઝા રિન્યુઅલનો જવાબ આવે ત્યાં સુધી પ્રવાસીઓને કામ કરવાની મંજૂરી આપવાની નીતિનો અંત લાવશે.
યુએસ સીટિઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝ (USCIS)ના ડિરેક્ટર જોસેફ એડ્લોએ જણાવ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પના નિર્દેશો હેઠળ તેમની એજન્સી હવે વિદેશી નાગરિકોની તપાસ અને વેરિફિકેશનને નવો આકાર આપી રહી છે. આ પગલું સામાન્ય છે. જેનાથી ખાતરી કરવામાં આવશે કે, કોઈપણ વિદેશી નાગરિકને કામ કરવાની મંજૂરી અને ડોક્યુમેન્ટ્સ રિન્યુ કરતાં પહેલાં તેની યોગ્ય તપાસ અને સ્ક્રિનિંગ કરવામાં આવે. તમામ વિદેશી નાગરિકોએ યાદ રાખવુ પડશે કે, અમેરિકામાં કામ કરવાનો કોઈ અધિકાર નથી, પરંતુ એક વિશેષાધિકાર છે.
EAD એક એવો દસ્તાવેજ છે, જે પ્રવાસી અને શરણાર્થી અરજદારોને અમેરિકામાં કામ કરવા મંજૂરી આપે છે. ગ્રીનકાર્ડ ધારકો અને એચ-1બી, એલ-1 અને O-1 વિઝાધારકોને EADની જરૂર પડતી નથી. પરંતુ અમુક એચ-4 વિઝાધારક જીવનસાથી, ગ્રીનકાર્ડધારક જીવનસાથી, અને એફ-1 વિદ્યાર્થીઓને EADની જરૂર પડે છે. વધુમાં વિઝા રિન્યુઅલની પેન્ડિંગ અરજી ધરાવતા અરજદારોને EAD આપવામાં આવે છે. EAD ધરાવતા મોટાભાગના લોકોને આ નિયમ હેઠળ આવરી લેવામાં આવશે.
જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ જણાવ્યું હતું કે, USCIS ભલામણ કરે છે કે વિદેશી નાગરિકો તેમના EAD સમાપ્ત થાય તેના 180 દિવસ પહેલા રિન્યૂ કરે. અરજી જેટલી મોડી થશે, તેમની કાર્ય અધિકૃતતા અસ્થાયી રૂપે સસ્પેન્ડ થવાની શક્યતા એટલી જ વધારે છે. વધુમાં વિભાગે સ્પષ્ટતા કરી હતી કે આ નવો નિયમ 30 ઓક્ટોબર, 2025 પહેલા આપમેળે લંબાવવામાં આવેલા EAD પર લાગુ થશે નહીં.
નવા નિયમ અનુસાર, જે ઇમિગ્રન્ટ્સ 30 ઓક્ટોબર, 2025 ના રોજ અથવા તે પછી તેમના EAD ના રિન્યૂ માટે અરજી કરે છે, તેમને હવે આપમેળે એક્સટેન્શન મળશે નહીં. મર્યાદિત અપવાદો ફક્ત અમુક પરિસ્થિતિઓમાં જ કરવામાં આવશે, જેમ કે TPS-સંબંધિત રોજગાર દસ્તાવેજો માટે. USCIS એ જણાવ્યું હતું કે આ ફેરફાર હવે ઇમિગ્રન્ટ્સની વધુ વારંવાર તપાસ કરવાની મંજૂરી આપશે, જેનાથી એજન્સી છેતરપિંડી અટકાવી શકશે અને સંભવિત નુકસાનકારક ઇરાદા ધરાવતા વ્યક્તિઓને ઓળખી શકશે. આવા વ્યક્તિઓનો દેશનિકાલ કરવામાં આવશે.
Related Articles
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત...
Jul 06, 2026
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદન...
Jul 06, 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પ...
Jul 06, 2026
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભાર...
Jul 06, 2026
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડ...
Jul 06, 2026
બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર, ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર, ગુજરાત...
Jul 06, 2026
Trending NEWS
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
04 July, 2026