લેબેનોન પર મારા આદેશથી પેજર હુમલો...PM નેતન્યાહૂએ લીધી જવાબદારી

November 11, 2024

મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ ઘણા બધા મોરચે યુદ્ધ લડી રહ્યું છે. પછી તે હમાસ, ઈરાન અને લેબેનોનમાં રહેલા હિઝબુલ્લા સાથે પણ ઈઝરાયલ યુદ્ધમાં છે. આ દરમિયાન દોઢ મહિના પહેલા થયેલા લેબેનોનમાં પેજર હુમલાને લઈ મહત્ત્વની કડી સામે આવી રહી છે. આતંકવાદી જૂથ હિઝબુલ્લાના હજારો પેજર અને વોકી-ટોકીમાં વિસ્ફોટ થયા હતા.

જેમાં 40થી વધુ લોકોનાં મોત થયા હતા અને ત્રણ હજારથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. હિઝબુલ્લાના લડવૈયાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા હજારો પેજર માત્ર 30 મિનિટમાં વિસ્ફોટ થઈ ગયા હતા. આ પેજરનો ઉપયોગ હિઝબુલ્લા ઈઝરાયલના રડારથી બચવા કરતા હતા, જેમાં જીપીએસ અને માઈક્રોફોન નહોતા.
 
લેબેનોનમાં પેજર હુમલાને લઈને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું પહેલીવાર નિવેદન સામે આવ્યું છે. તેમને રવિવારે એ વાત જણાવી કે તેઓને જ આદેશ હતો. સપ્ટેમ્બરમાં લેબેનોનમાં રહેલા આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર પેજર હુમલો કર્યો હતો, જેમાં લગભગ 40 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 3,000થી વધુ ઘાયલ થયા હતા.