ઝારખંડમાં ગંભીર અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ પલટી, પાંચના મોત
January 18, 2026
લાતેહાર : ઝારખંડના લાતેહાર જિલ્લામાં રવિવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. છત્તીસગઢથી જાનૈયાઓને લઈને આવી રહેલી એક ખાનગી બસ ઓરસા ઘાટીમાં અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, છત્તીસગઢના બલરામપુર જિલ્લાના મહારાજગંજ ગામથી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આશરે 80 જેટલા લોકો બસમાં સવાર થઈને મહુઆડાંડા આવી રહ્યા હતા. ઓરસા ઘાટીના વળાંક પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ચીસાચીસ સાંભળી સ્થાનિક ગ્રામીણો મદદ માટે દોડી આવ્યા હતા અને ખાનગી વાહનો દ્વારા ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
ઘટનાની જાણ થતા જ લાતેહારના એસડીએમ બિપિન કુમાર દુબે અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. મહુઆડાંડાની સરકારી હોસ્પિટલ ઘાયલોથી ભરાઈ ગઈ છે, જ્યાં સ્થાનિક ડોક્ટરોની સાથે ખાનગી ક્લિનિકના પ્રેક્ટિશનરો પણ ઈજાગ્રસ્તોની સારવાર કરી રહ્યા છે. કેટલાક ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાના કારણે મૃત્યુઆંક વધવાની સંભાવના છે.
મુખ્યમંત્રી હેમંત સોરેને ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને જિલ્લા પ્રશાસનને પીડિતોને તાત્કાલિક સહાય પૂરી પાડવા અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા નિર્દેશ આપ્યા છે. પોલીસ અધીક્ષક કુમાર ગૌરવે જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને તબીબી તપાસ બાદ જ સત્તાવાર મૃત્યુઆંક જાહેર કરવામાં આવશે.
Related Articles
મુંબઈ બાદ અમદાવાદ-દિલ્હી વચ્ચે દોડશે દેશની હાઈસ્પીડ બુલેટ ટ્રેન
મુંબઈ બાદ અમદાવાદ-દિલ્હી વચ્ચે દોડશે દેશ...
Jun 29, 2026
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ ભયાનક ભૂસ્ખલન બાદ રોડ-રસ્તા ધરાશાયી
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ ભયાનક ભૂસ્ખલન બ...
Jun 29, 2026
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાયના રાજીનામા પર સંતોના સવાલો, અન્ય પદાધિકારીઓની પણ પૂછપરછ થશે
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાયના...
Jun 29, 2026
મુંબઈમાં ભારે વરસાદથી જળબંબાકાર, યેલો એલર્ટ અપાયું, : અંધેરી સબવે બંધ, પાલિકાની પોલ ખુલી,
મુંબઈમાં ભારે વરસાદથી જળબંબાકાર, યેલો એ...
Jun 29, 2026
અમેરિકાના હુમલા બાદ ઇરાનનો વળતો પ્રહાર, કુવૈત-બહેરિન પર ડ્રોન-મિસાઇલ હુમલા સાથે શાંતિ મંત્રણા રોકવાની ચેતવણી
અમેરિકાના હુમલા બાદ ઇરાનનો વળતો પ્રહાર,...
Jun 29, 2026
રામમંદિરમાં અમલદારશાહીનો વિરોધ, સીઈઓની નિમણૂકના પ્રસ્તાવ સામે સંતોનો આક્રોશ
રામમંદિરમાં અમલદારશાહીનો વિરોધ, સીઈઓની ન...
Jun 29, 2026
Trending NEWS
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026