ઝારખંડમાં ગંભીર અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ પલટી, પાંચના મોત
January 18, 2026
લાતેહાર : ઝારખંડના લાતેહાર જિલ્લામાં રવિવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. છત્તીસગઢથી જાનૈયાઓને લઈને આવી રહેલી એક ખાનગી બસ ઓરસા ઘાટીમાં અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, છત્તીસગઢના બલરામપુર જિલ્લાના મહારાજગંજ ગામથી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આશરે 80 જેટલા લોકો બસમાં સવાર થઈને મહુઆડાંડા આવી રહ્યા હતા. ઓરસા ઘાટીના વળાંક પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ચીસાચીસ સાંભળી સ્થાનિક ગ્રામીણો મદદ માટે દોડી આવ્યા હતા અને ખાનગી વાહનો દ્વારા ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
ઘટનાની જાણ થતા જ લાતેહારના એસડીએમ બિપિન કુમાર દુબે અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. મહુઆડાંડાની સરકારી હોસ્પિટલ ઘાયલોથી ભરાઈ ગઈ છે, જ્યાં સ્થાનિક ડોક્ટરોની સાથે ખાનગી ક્લિનિકના પ્રેક્ટિશનરો પણ ઈજાગ્રસ્તોની સારવાર કરી રહ્યા છે. કેટલાક ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાના કારણે મૃત્યુઆંક વધવાની સંભાવના છે.
મુખ્યમંત્રી હેમંત સોરેને ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને જિલ્લા પ્રશાસનને પીડિતોને તાત્કાલિક સહાય પૂરી પાડવા અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા નિર્દેશ આપ્યા છે. પોલીસ અધીક્ષક કુમાર ગૌરવે જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને તબીબી તપાસ બાદ જ સત્તાવાર મૃત્યુઆંક જાહેર કરવામાં આવશે.
Related Articles
મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ
મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને...
Apr 01, 2026
બંગલાદેશથી ભારતમાં આતંકવાદ ફેલાવી રહેલા લશ્કર-એ-તય્યબાના આંતકીની દિલ્હીમાં ધરપકડ
બંગલાદેશથી ભારતમાં આતંકવાદ ફેલાવી રહેલા...
Apr 01, 2026
વસઈમાં દીપડાની ચામડીની તસ્કરી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કરી બે આરોપીની ધરપકડ
વસઈમાં દીપડાની ચામડીની તસ્કરી, ફોરેસ્ટ ડ...
Apr 01, 2026
અલગ-અલગ ધર્મના લોકો પણ લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે છે : અલાહાબાદ હાઈકોર્ટ
અલગ-અલગ ધર્મના લોકો પણ લિવ-ઇન રિલેશનશિપમ...
Apr 01, 2026
ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના
ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ...
Mar 31, 2026
બિહારમાં નાસભાગમાં 8ના મોત: નાલંદામાં શીતળા માતા મંદિરમાં મોટી દુર્ઘટના, અનેક ઈજાગ્રસ્ત
બિહારમાં નાસભાગમાં 8ના મોત: નાલંદામાં શી...
Mar 31, 2026
Trending NEWS
31 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026