Breaking News :
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો

રાયબરેલીમાં કદાવર નેતા સ્વામી પ્રસાદ મૌર્યને લાફો ઝીંકાયો, સમર્થકોએ આરોપીની કરી ધોલાઈ

August 06, 2025

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો કરાયાની ઘટના બની છે. એક યુવકે માળા પહેરાવવાના બહાને મૌર્યને પાછળથી લાફો ઝીંકી દીધો હતો. આ દરમિયાન સમર્થકોની ભીડે આરોપી યુવકને પકડી પાડ્યો અને તેની જોરદાર રીતે ધોલાઈ કરી હતી. ઘટનાસ્થળે હાજર પોલીસે આરોપીને હેમખેમ લોકોની ભીડથી બચાવ્યો હતો. હાલમાં આ ઘટનાને લઈને માહોલ ગરમાયેલો છે. આરેસએસએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી પ્રસાદ મૌર્ય બુધવારે રાયબરેલી પહોંચ્યા હતા. અહીં કેટલાક સમર્થકો ફૂલ-માળા લઈને તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. ત્યારે એક યુવકે ભીડમાં ઘૂસીને તેમને લાફો ઝીંકી દીધો હતો. આ ઘટનાથી કદાવર નેતાના સમર્થકો ભડક્યા હતા અને તેમણે આરોપી યુવક સાથે મારપીટ શરુ કરી દીધી હતી.  તેના પર લાત-ફેંટો અને દંડાવાળી કરી હતી. આરોપી યુવક ઘાયલ થઈ ગયો હતો ત્યારે પોલીસે વચ્ચે પડીને તેને બચાવવો પડ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રાયબેરલીમાં આ હુમલો કરાયો હતો. ઘટના બાદથી સ્થિતિ તંગદિલીપૂર્ણ બની હતી. આ મામલે મળતી માહિતી અનુસાર હુમલાખોર કરણી સેનાનો સભ્ય હોવાનો જાણકારી મળી રહી છે. જોકે હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી. મૌર્યએ આ મામલે સરકારને ઘેરતાં કહ્યું કે આ સરકારી ગુંડા છે. કરણી સેનાના લોકો છે. હું લખનઉથી ફતેહપુર જઈ રહ્યો હતો ત્યારે રાયબરેલીમાં રોકાયો હતો ત્યારે આ ઘટના બની.