બાંગ્લાદેશમાં ઇસ્કોનના ચિન્મય પ્રભુની ધરપકડ, રાજદ્રોહનો કેસ

November 26, 2024

બાંગ્લાદેશમાં હિંદુઓ પર વધી રહેલા અત્યાચારના અહેવાલો વચ્ચે ચટગામ ઇસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ કરવામાં આવી છે. ઇસ્કોન મંદિર પક્ષે જણાવ્યું હતું કે ચિન્મય પ્રભુની કથિત રીતે ઢાકા પોલીસની ડિટેક્ટીવ શાખાના અધિકારીઓએ ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી.

ચિન્મય પ્રભુ શેખ હસીનાની સરકારના પતન પછી હિન્દુઓ પર થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવી રહ્યા છે. શુક્રવારે જ તેમણે રંગપુરમાં એક વિશાળ વિરોધ રેલીને સંબોધિત કરી હતી.બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ઢાકા એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી છે.

ઇસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુએ 22 નવેમ્બરે બાંગ્લાદેશના રંગપુરમાં હિન્દુઓના સમર્થનમાં રેલી યોજી હતી. માનવામાં આવે છે કે તેના કારણે ચિન્મય કૃષ્ણ પ્રભુ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ રેલીમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો.