Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

યમનમાં ભારતીય મહિલાની ફાંસીની સજા ટળી

July 15, 2025

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા મુલતવી રાખવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભારતીય મહિલાની ફાંસીની સજા ટાળવામાં આવી છે. યમનમાં 16 જુલાઈએ તેને ફાંસી આપવાની હતી. ભારત સરકાર કેસની શરૂઆતથી જ નિમિષાના પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે. તાજેતરના સમયમાં, સરકારે નિમિષા પ્રિયાના પરિવારને બીજા પક્ષ સાથે વાટાઘાટો કરીને સર્વસંમતિપૂર્ણ ઉકેલ સુધી પહોંચવા માટે વધુ સમય આપવા માટે સતત પ્રયાસો કર્યા છે. ભારતીય અધિકારીઓ યમનની સના જેલના અધિકારીઓ અને યમનના સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે. સરકારના પ્રયાસોને કારણે જ નિમિષાની સજા મુલતવી રાખવાનું શક્ય બન્યું છે.

કેરળની નર્સ નિમિષા પ્રિયાને આજે યમનમાં ફાંસી આપવાની હતી. તેના પર યમનના નાગરિકની હત્યાનો આરોપ છે. નિમિષા પ્રિયાનો જન્મ કેરળના પલક્કડ જિલ્લામાં શ્રમિક પરિવારમાં થયો હતો. નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ તે વર્ષ 2008માં યમન ગઈ હતી. અહીં તે અલગ-અલગ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી.

વર્ષ 2011 માં, તે ભારત પાછી ફરી અને કેરળના ઇડુક્કી શહેરના રહેવાસી ટોમી થોમસ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા. થોડા સમય પછી બંને પતિ-પત્ની પાછા યમન ગયા અને યમનની રાજધાની સનામાં રહેવા લાગ્યા. ત્યાં તેણે એક દીકરીને જન્મ આપ્યો. 

વર્ષ 2015 માં, તેમની ઓછી આવકથી કંટાળીને, નિમિષા અને ટોમીએ પોતાનું ક્લિનિક ખોલવાનું નક્કી કર્યું. યમનમાં વિદેશીઓને બિઝનેસ કરવાની મંજૂરી ન હોવાથી નિમિષાએ યમનના તેના સાથીદાર તલાલ અબ્દો મહેદી નામના વ્યક્તિ સાથે બિઝનેસ શરૂ કર્યો હતો. સ્થાનિક લોકો ક્લિનિકમાં આવવા લાગ્યા. આ રીતે તેમનું ક્લિનિક શરૂ થયું.

તલાલે નિમિષા સાથે વિશ્વાસઘાત કર્યો અને ક્લિનિકની માલિકી હડપવા નિમિષાનો પાસપોર્ટ પણ લઇ લીધો, સાથે જ તેનું શોષણ કરવા લાગ્યો. નિમિષાએ યમનના આ નાગરિક તલાલથી પીછો છોડાવવા પોલીસની મદદ લીધી પરંતુ પોલીસે નિમિષાની ધરપકડ કરી છ દિવસ જેલમાં રાખી, નિમિષા પર પ્રશાસન અને તલાલનો અત્યાચાર વધતો ગયો. તેનાથી છૂટકારો મેળવવા અને પાસપોર્ટ પરત લેવા માટે નિમિષાએ તલાલને કાબુમાં કરવા કેટલાક ઈન્જેક્શન આપ્યા હતા, પ્રથમ વખત તલાલને કઈ ના થયું જોકે બીજા વખતના ઈન્જેક્શનમાં તેનું મોત નિપજ્યું હોવાનો નિમિષા પર આરોપ હતો.