Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

જમ્મુ કાશ્મીરના પૂંછમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠાર મરાયા

July 30, 2025

જમ્મુ કાશ્મીરના પૂંછમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું. જેમાં બે આતંકીઓ ઠાર મરાયા છે. સુરક્ષાદળોએ એલઓસી પાસે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. આ દરમિયાન થયેલી અથડામણમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે. આજે સવારે સુરક્ષા દળોને જંગલમાં 2-3 આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. જંગલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્રીજા આતંકવાદીની શોધ જંગલમાં ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે  જમ્મુ અને કાશ્મીરમાં ૩ દિવસમાં આ બીજું એન્કાઉન્ટર છે, જેમાં આતંકવાદીઓ માર્યા ગયા છે. આ પહેલા 28 જુલાઈના રોજ શ્રીનગરમાં સુરક્ષા દળોનું આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. શ્રીનગરના દાચીગામ નેશનલ પાર્ક નજીક હરવાન વિસ્તારમાં સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

ત્રણેય આતંકવાદીઓ પહેલગામના હુમલાખોર હોવાનું કહેવાય છે. તેમના નામ હાશિમ મુસા, જિબ્રાન અને હમઝા અફઘાની હતા. માર્યા ગયેલા આતંકવાદી જિબ્રાન પર વર્ષ 2024 માં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટ પર થયેલા આતંકવાદી હુમલાનો પણ આરોપ હતો. જે જગ્યાએ માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહ મળ્યા હતા, ત્યાંથી યુએસ-નિર્મિત M4 કાર્બાઇન, AK-47, ૧૭ રાઈફલ અને ગ્રેનેડ મળી આવ્યા હતા.