Breaking News :
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો

જમ્મુ કાશ્મીરના પૂંછમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠાર મરાયા

July 30, 2025

જમ્મુ કાશ્મીરના પૂંછમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું. જેમાં બે આતંકીઓ ઠાર મરાયા છે. સુરક્ષાદળોએ એલઓસી પાસે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. આ દરમિયાન થયેલી અથડામણમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે. આજે સવારે સુરક્ષા દળોને જંગલમાં 2-3 આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. જંગલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્રીજા આતંકવાદીની શોધ જંગલમાં ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે  જમ્મુ અને કાશ્મીરમાં ૩ દિવસમાં આ બીજું એન્કાઉન્ટર છે, જેમાં આતંકવાદીઓ માર્યા ગયા છે. આ પહેલા 28 જુલાઈના રોજ શ્રીનગરમાં સુરક્ષા દળોનું આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. શ્રીનગરના દાચીગામ નેશનલ પાર્ક નજીક હરવાન વિસ્તારમાં સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

ત્રણેય આતંકવાદીઓ પહેલગામના હુમલાખોર હોવાનું કહેવાય છે. તેમના નામ હાશિમ મુસા, જિબ્રાન અને હમઝા અફઘાની હતા. માર્યા ગયેલા આતંકવાદી જિબ્રાન પર વર્ષ 2024 માં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટ પર થયેલા આતંકવાદી હુમલાનો પણ આરોપ હતો. જે જગ્યાએ માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહ મળ્યા હતા, ત્યાંથી યુએસ-નિર્મિત M4 કાર્બાઇન, AK-47, ૧૭ રાઈફલ અને ગ્રેનેડ મળી આવ્યા હતા.