Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

ભાષાને લઇને હિંસા, રાજ ઠાકરે વિરુદ્ધ SCમાં અરજી

July 19, 2025

મહારાષ્ટ્રના ભાષા વિવાદ મામલે નવો ટ્વિસ્ટ આવ્યો છે. મનસેના પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો નિર્દેશ આપતી અરજી સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવી છે. જેમાં લલિતા કુમારી મામલેના નિર્ણયમાં જાહેર દિશા નિર્દેશોને દેશભરમાં લાગુ કરવાની માગ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યુ છે કે ચૂંટણી આયોગને લલિતા કુમારી નિર્ણયમાં જાહેર કરેલા દિશા નિર્દેશોનું અનુપાલન કરાવાનો આદેશ આપે. 

આ અરજી મહારાષ્ટ્રના મુંબઇના રહેનારા વકીલ ઘનશ્યામ દયાળુ ઉપાધ્યાયે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરી છે. દાખલ કરાયેલી અરજીમાં એમ કહેવામાં આવ્યું છે કે રાજ ઠાકરે અને તેમના પક્ષના કાર્યકરો અન્ય રાજ્યોના લોકો સામે હિંસા કરે છે અને ભાષાના આધારે રાજકારણ કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ બંધારણની મૂળ ભાવના અને સુપ્રીમ કોર્ટના લલિતા કુમારીના નિર્ણયમાં આપવામાં આવેલી માર્ગદર્શિકા વિરુદ્ધ છે.