બાંગ્લાદેશમાં હિંસા ભભૂકી! હિન્દુઓ પર અત્યાચાર, 3 મંદિરોમાં તોડફોડ, પોલીસે કરી પુષ્ટિ

November 30, 2024

બળવા પછીથી બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર ચાલુ છે. આ દરમિયાન બાંગ્લાદેશમાં ત્રણ હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. હુમલાખોરોએ ત્રણ હિંદુ મંદિરો પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે મંદિરોને નુકસાન થયું હતું. તમને જણાવી દઈએ કે તાજેતરમાં ઈસ્કોન મંદિરના પ્રમુખ ચિન્મય કૃષ્ણ દાસની પણ ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારથી બાંગ્લાદેશમાં બળવો થયો ત્યારથી હિંદુઓ પર અત્યાચાર ચાલી રહ્યો છે. તાજેતરમાં, ઇસ્કોનના ભૂતપૂર્વ સભ્ય સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારથી ચટ્ટોગામમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. તમને જણાવી દઈએ કે ઈસ્કોનના મુખ્ય પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ ભારત અને દુનિયાભરમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારની ચર્ચા થવા લાગી છે. દરમિયાન, સૂત્રોચ્ચાર કરતા ટોળાએ શુક્રવારે બાંગ્લાદેશના ચટ્ટોગામમાં ત્રણ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી હતી. સ્થાનિક મીડિયા દ્વારા જણાવ્યું છે કે, આ હુમલો બંદર શહેરના હરીશ ચંદ્ર મુનસેફ લેનમાં બપોરે 2.30 વાગ્યે થયો હતો.