Breaking News :
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે મોકલ્યો સંદેશ કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે

રામનગરમાં બ્લાઈન્ડ વળાંક પર બસ ખાડામાં ખાબકતા 20 લોકોના મોત અને 20 મુસાફરો ઘાયલ

April 21, 2026

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સોમવારે સવારે જમ્મુ-શ્રીનગર રોડ પર એક પેસેન્જર બસ ટેકરી પરથી ખાડામાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે રામનગર વિસ્તારના કાગોર્ટ ગામ નજીક સવારે 10 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. આ બસ એક દૂરના ગામથી ઉધમપુર તરફ જઈ રહી હતી ત્યારે રામનગર વિસ્તારમાં વળાંક લેતી વખતે ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ પલટી ગઈ હતી અને ટેકરી નીચે ખાબકી હતી.

બસ ખાડામાં પડતાની સાથે જ કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી અને મુસાફરોની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. અકસ્માતના સમાચાર ફેલાતા જ નજીકના વિસ્તારોમાંથી સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોએ ક્ષતિગ્રસ્ત બસમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો અને થોડી જ વારમાં પોલીસ તથા અન્ય બચાવ ટુકડીઓ પણ કામગીરીમાં જોડાઈ હતી. તમામનો મુખ્ય ઉદ્દેશ્ય પીડિતોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો અને અકસ્માત સ્થળને સાફ કરવાનો હતો.

બચાવ કામગીરી દરમિયાન બસના કાટમાળમાંથી એક પછી એક મૃતદેહો બહાર આવવા લાગ્યા હતા અને રસ્તા પર લાશોના ઢગલા થઈ ગયા હતા. વાહનના કાટમાળમાંથી કુલ 20 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા 20 લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી ઘણાની હાલત અત્યંત ગંભીર હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ દુર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને ₹2,00,000 અને ઘાયલોને ₹50,000ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.