Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

ખૈબર પખ્તૂનખ્વામાં ભયાનક વિસ્ફોટમાં 7ના મોત, પાકિસ્તાની સેનાએ ત્રણ દિવસમાં 71 આતંકીને ઠાર કર્યા

April 28, 2025

પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં એક શાંતિ સમિતિની ઑફિસમાં આજે (28 એપ્રિલ) ભયાનક બોંબ વિસ્ફોટ થયો છે, જેમાં સાત લોકોના મોત અને નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે કહ્યું કે, દક્ષિણ વજીરિસ્તાન જિલ્લાના હેડક્વાર્ટર વાનામાં એક સ્થાનીક શાંતિ સમિતિની ઓફિસમાં વિસ્ફોટ થયો છે.

ઈજાગ્રસ્તોની સારવાર કરીર રહેલા હોસ્પિટલથી માહિતી સામે આવી છે કે, વિસ્ફોટ બાદ 16 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લવાયા છે, જેમાંથી સાતના મોત થયા છે. બીજીતરફ કોઈપણ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. પોલીસે કહ્યું કે, વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, શાંતિ સમિતીની આખી બિલ્ડિંગ નાશ પામી છે અને કેટલાક લોકો કાટમાળ હેઠળ દબાયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તુરંત કાટમાળ હેઠળથી પીડિતોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા.

વિસ્ફોટના એક દિવસ પહેલા પાકિસ્તાની સેનાએ મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. સેનાએ અફઘાનિસ્તાથી ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં ઘૂસી રહેલા 54 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. શાતી સમિતિની ઓફિસમાં થયેલા હુલાની કોઈપણ સંગઠને જવાબદારી લીધી નથી, જોકે પાકિસ્તાન વિસ્ફોટમાં તાલિબાનનો હાથ હોવાનો આક્ષેપ કરી શકે છે, કારણ કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અથવા ટીટીપીના નામથી ઓળખાતું સંગઠન હંમેશા સુરક્ષા દળો અને નાગરિકોને નિશાન બનાવતું રહે છે.

પાકિસ્તાની સુરક્ષા દળોએ આજે પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર મોટી કાર્યવાહી કરી હતી. સેનાએ પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના વધુ 17 આતંકીઓને ઠાર કર્યા હતા. સેનાએ છેલ્લા ત્રણ દુવસમાં કુલ 71 વિદેશી આતંકીઓને ઠાર કર્યા છે. સેનાએ આતંકીઓ પાસેથી હથિયારો, ગોળીઓ અને વિસ્ફોટકનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો છે.