અજિત પવારને મોટો ઝટકો! એકઝાટકે 7 ધારાસભ્યોએ સાથ છોડ્યો
June 01, 2025
વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્યોના વિલીનીકરણને મંજૂરી આપી
નાગાલેન્ડ : નાગાલેન્ડમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP અજિત પવાર જૂથ)ના તમામ સાત ધારાસભ્યો શનિવારે શાસક NDPPમાં જોડાયા, જેનાથી મુખ્યમંત્રી નેફ્યુ રિયોના નેતૃત્વ હેઠળની પાર્ટીને 60 સભ્યોની વિધાનસભામાં સંપૂર્ણ બહુમતી મળી. આ વિલીનીકરણ સાથે રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP)ના ધારાસભ્યોની સંખ્યા 25થી વધીને 32 થઈ ગઈ.
શરદ પવારની પાર્ટી એનસીપીમાં ભાગલા પડ્યા પછી નાગાલેન્ડ યુનિટે અજિત પવારના નેતૃત્વ હેઠળના જૂથને ટેકો આપ્યો હતો. વર્ષ 2023ની વિધાનસભા ચૂંટણીમાં એનડીપીપી અને તેના સાથી ભાજપ પછી એનસીપી રાજ્યમાં ત્રીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, તેણે 12 બેઠકો જીતી.
વિધાનસભા અધ્યક્ષ શેરિંગેન લોંગકુમેર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, તમામ સાત ધારાસભ્યો રૂબરૂ હાજર થયા અને એનડીપીપીમાં ભળી જવાના નિર્ણયને દર્શાવતા ઔપચારિક પત્રો સુપરત કર્યા. તેમણે કહ્યું કે, 'આ વિલીનીકરણ બંધારણની 10મી અનુસૂચિ હેઠળ બંધારણીય આવશ્યકતાઓને પૂર્ણ કરે છે.'
આદેશમાં કહેવામાં આવ્યું છે કે નાગાલેન્ડ વિધાનસભા સભ્યો (પક્ષપલટાના આધારે ગેરલાયકાત) નિયમ 2019 અનુસાર, વિધાનસભા અધ્યક્ષે વિલીનીકરણને મંજૂરી આપી અને વિધાનસભા સચિવાલયને તે મુજબ પક્ષ જોડાણ રેકોર્ડ અપડેટ કરવાનો નિર્દેશ આપ્યો. રાજ્ય સરકારના મંત્રી કેજી કેન્યેએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, '7 એનસીપી ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને તેમનો વિલીનીકરણ પત્ર સુપરત કર્યો હતો, જેને તેમણે ઉદારતાથી સ્વીકાર્યો છે. આ ઉપરાંત 14મી નાગાલેન્ડ વિધાનસભામાં એનડીપીપી સભ્યોની સંખ્યા 25થી વધીને 32 થઈ ગઈ છે.'
Related Articles
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026