અજિત પવારને મોટો ઝટકો! એકઝાટકે 7 ધારાસભ્યોએ સાથ છોડ્યો
June 01, 2025

વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્યોના વિલીનીકરણને મંજૂરી આપી
નાગાલેન્ડ : નાગાલેન્ડમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP અજિત પવાર જૂથ)ના તમામ સાત ધારાસભ્યો શનિવારે શાસક NDPPમાં જોડાયા, જેનાથી મુખ્યમંત્રી નેફ્યુ રિયોના નેતૃત્વ હેઠળની પાર્ટીને 60 સભ્યોની વિધાનસભામાં સંપૂર્ણ બહુમતી મળી. આ વિલીનીકરણ સાથે રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP)ના ધારાસભ્યોની સંખ્યા 25થી વધીને 32 થઈ ગઈ.
શરદ પવારની પાર્ટી એનસીપીમાં ભાગલા પડ્યા પછી નાગાલેન્ડ યુનિટે અજિત પવારના નેતૃત્વ હેઠળના જૂથને ટેકો આપ્યો હતો. વર્ષ 2023ની વિધાનસભા ચૂંટણીમાં એનડીપીપી અને તેના સાથી ભાજપ પછી એનસીપી રાજ્યમાં ત્રીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, તેણે 12 બેઠકો જીતી.
વિધાનસભા અધ્યક્ષ શેરિંગેન લોંગકુમેર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, તમામ સાત ધારાસભ્યો રૂબરૂ હાજર થયા અને એનડીપીપીમાં ભળી જવાના નિર્ણયને દર્શાવતા ઔપચારિક પત્રો સુપરત કર્યા. તેમણે કહ્યું કે, 'આ વિલીનીકરણ બંધારણની 10મી અનુસૂચિ હેઠળ બંધારણીય આવશ્યકતાઓને પૂર્ણ કરે છે.'
આદેશમાં કહેવામાં આવ્યું છે કે નાગાલેન્ડ વિધાનસભા સભ્યો (પક્ષપલટાના આધારે ગેરલાયકાત) નિયમ 2019 અનુસાર, વિધાનસભા અધ્યક્ષે વિલીનીકરણને મંજૂરી આપી અને વિધાનસભા સચિવાલયને તે મુજબ પક્ષ જોડાણ રેકોર્ડ અપડેટ કરવાનો નિર્દેશ આપ્યો. રાજ્ય સરકારના મંત્રી કેજી કેન્યેએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, '7 એનસીપી ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને તેમનો વિલીનીકરણ પત્ર સુપરત કર્યો હતો, જેને તેમણે ઉદારતાથી સ્વીકાર્યો છે. આ ઉપરાંત 14મી નાગાલેન્ડ વિધાનસભામાં એનડીપીપી સભ્યોની સંખ્યા 25થી વધીને 32 થઈ ગઈ છે.'
Related Articles
તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 5ના મોત, 4થી વધુ ઈજાગ્રસ્ત
તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટ...
Jul 01, 2025
'કેન્દ્રમાં સત્તામાં આવતા જ RSS પર પ્રતિબંધ મૂકીશું...' કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના દીકરાની જાહેરાત
'કેન્દ્રમાં સત્તામાં આવતા જ RSS પર પ્રતિ...
Jul 01, 2025
જમ્મુ-કાશ્મીરમાં આ ત્રણ પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં? ચૂંટણી પંચ રદ કરી શકે છે રજિસ્ટ્રેશન
જમ્મુ-કાશ્મીરમાં આ ત્રણ પાર્ટીનું અસ્તિત...
Jul 01, 2025
હિમાચલના મંડીમાં આભ ફાટતાં તબાહીના દૃશ્યો, મકાન-રસ્તા-વાહનો વહી ગયા, અનેક ગુમ
હિમાચલના મંડીમાં આભ ફાટતાં તબાહીના દૃશ્ય...
Jul 01, 2025
ટી. રાજા સિંહનું ભાજપમાંથી રાજીનામું, પ્રદેશ પ્રમુખ ન બનાવાતા નારાજ
ટી. રાજા સિંહનું ભાજપમાંથી રાજીનામું, પ્...
Jun 30, 2025
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે ભારત સરકારની પ્રતિક્રિયા, નાણામંત્રીએ કહ્યું, ‘શરતો લાગુ થશે...’
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે ભારત સ...
Jun 30, 2025
Trending NEWS

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025