દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોની વણઝાર યથાવત, કાર-ટ્રક વચ્ચે ટક્કર થતાં 2નાં મોત
November 20, 2025
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે. સતત બીજા દિવસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર લક્ષ્મીપુરા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં કાર અને ટ્રક વચ્ચેની અથડામણમાં કારમાં સવાર બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક્સપ્રેસ વે પર સર્જાયેલા અકસ્માતને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર 1. મેહુલભાઈ જયંતીભાઈ ગલાણી (ઉંમર 27, રહે, કતારગામ સુરત) 2. અશ્વિનભાઈ પુરુષોત્તમભાઈ પટેલ (ઉંમર 48, રહે. નીલકંઠ એવન્યુ, સુરત)નુ& ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 1. પ્રશાંતભાઈ પ્રવીણચંદ્ર ઘામેચા (રહે અમરોલી, સુરત) 2. ઉમેશભાઈ નારાયણભાઈ વિરાણી (વેલેન્ઝા, ઉમરા, સુરત) ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકો સુરત શહેરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અકસ્માતના કારણો અને સંજોગો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર માત્ર એક દિવસ અગાઉ એટલે કે બુધવારે પણ મોટો અકસ્માત થયો હતો. બુધવારે સવારે લગભગ 9 વાગ્યે સરસવણી ગામ પાસે રોડ મેન્ટેનન્સનું કામ કરી રહેલા પાંચ મજૂરો પર એક કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર ફરી વળી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં બે મજૂરો, દિલીપ દહિયા અને મનોજ કુમાર, ગંભીર રીતે ઘાયલ થતાં તેમના મોત થયા હતા. વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલી કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ માર્ગ પર સતત વધી રહેલા અકસ્માતોએ હાઇવેની સલામતી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
Related Articles
AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સાંસદે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો દાવો
AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સ...
Apr 24, 2026
કોંગ્રેસ સહિત 73 સાંસદોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયાની માંગ
કોંગ્રેસ સહિત 73 સાંસદોએ રાષ્ટ્રપતિને લખ...
Apr 24, 2026
7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની
7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ...
Apr 24, 2026
હું પક્ષપલટો નહીં કરું...', સુરતમાં ઉમેદવારો પાસે એફિડેવિટ લેવાયાની ચર્ચા
હું પક્ષપલટો નહીં કરું...', સુરતમાં ઉમેદ...
Apr 24, 2026
ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી
ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે...
Apr 23, 2026
રામનગરમાં બ્લાઈન્ડ વળાંક પર બસ ખાડામાં ખાબકતા 20 લોકોના મોત અને 20 મુસાફરો ઘાયલ
રામનગરમાં બ્લાઈન્ડ વળાંક પર બસ ખાડામાં ખ...
Apr 21, 2026
Trending NEWS
23 April, 2026
23 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
21 April, 2026