Breaking News :
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે મોકલ્યો સંદેશ કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે

પહેલી મેથી શરૂ થશે આદિ કૈલાશ યાત્રાનો પ્રારંભ

March 23, 2026

ઉત્તરાખંડમાં ધાર્મિક પર્યટનને વેગ આપતી પવિત્ર આદિ કૈલાશ યાત્રાનો આગામી ૧ મેથી વિધિવત્ પ્રારંભ થવા જઈ રહ્યો છે. પિથોરાગઢ જિલ્લામાં સમુદ્રની સપાટીથી આશરે ૧૪,૫૦૦ ફુટની ઊંચાઈ પર આવેલા ભગવાન શિવ અને માતા પાર્વતીના પ્રાચીન મંદિરનાં કપાટ ખૂલતાંની સાથે જ આ વર્ષની યાત્રા શરૂ થશે. શિયાળાના વિરામ બાદ ગ્રામજનોના પોતાના મૂળ વતન પાછા ફરવાની સાથે જ આ વિસ્તારમાં ફરી ભક્તિમય માહોલ જામશે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રસ્તાઓના નિર્માણ બાદ હવે આદિ કૈલાશની યાત્રા સરળ બની છે. અગાઉ આ યાત્રા પગપાળા કરવી પડતી હતી, પરંતુ હવે વાહનોની સુવિધા ઉપલબ્ધ થતાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ કારણે સ્થાનિક યુવાનો માટે હોમ-સ્ટે, ટૅક્સીસેવાઓ અને ગાઇડ તરીકે રોજગારની નવી તકો ઊભી થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ આ સ્થળ પ્રત્યે દેશભરમાં આકર્ષણ વધ્યું છે.