પહેલી મેથી શરૂ થશે આદિ કૈલાશ યાત્રાનો પ્રારંભ

March 23, 2026

ઉત્તરાખંડમાં ધાર્મિક પર્યટનને વેગ આપતી પવિત્ર આદિ કૈલાશ યાત્રાનો આગામી ૧ મેથી વિધિવત્ પ્રારંભ થવા જઈ રહ્યો છે. પિથોરાગઢ જિલ્લામાં સમુદ્રની સપાટીથી આશરે ૧૪,૫૦૦ ફુટની ઊંચાઈ પર આવેલા ભગવાન શિવ અને માતા પાર્વતીના પ્રાચીન મંદિરનાં કપાટ ખૂલતાંની સાથે જ આ વર્ષની યાત્રા શરૂ થશે. શિયાળાના વિરામ બાદ ગ્રામજનોના પોતાના મૂળ વતન પાછા ફરવાની સાથે જ આ વિસ્તારમાં ફરી ભક્તિમય માહોલ જામશે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રસ્તાઓના નિર્માણ બાદ હવે આદિ કૈલાશની યાત્રા સરળ બની છે. અગાઉ આ યાત્રા પગપાળા કરવી પડતી હતી, પરંતુ હવે વાહનોની સુવિધા ઉપલબ્ધ થતાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ કારણે સ્થાનિક યુવાનો માટે હોમ-સ્ટે, ટૅક્સીસેવાઓ અને ગાઇડ તરીકે રોજગારની નવી તકો ઊભી થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ આ સ્થળ પ્રત્યે દેશભરમાં આકર્ષણ વધ્યું છે.