દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટે ભૂલથી ખોટા રનવે પર ઉતારી દીધું હતું વિમાન,
January 10, 2026
ગયા વર્ષે 23 નવેમ્બરે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના થતા રહી ગઈ હતી. અફઘાનિસ્તાનની એરિયાના અફઘાન એરલાઈન્સની ફ્લાઈટ AFG311 નિર્ધારિત રનવે 29Lને બદલે ભૂલથી રનવે 29R પર ઉતરી ગઈ હતી, જેનો ઉપયોગ તે સમયે ટેકઓફ માટે થઈ રહ્યો હતો. ચિંતાજનક વાત એ છે કે, તે જ સમયે તે જ રનવે પરથી અન્ય એક વિમાન, AIC2243, ટેકઓફ કરી રહ્યું હતું. વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો(AAIB)એ આ ઘટના અંગે પોતાનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો છે.
રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રનવે 29R પર કોઈ લેન્ડિંગ સહાયક પ્રણાલી સક્રિય નહોતી. ન તો ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ(ILS) ચાલુ હતી, ન પ્રિસિઝન એપ્રોચ પાથ ઈન્ડિકેટર(PAPI) કે એપ્રોચ લાઈટ્સ. તેમ છતાં, ખરાબ હવામાન અને ધુમ્મસને કારણે જ્યારે વિઝિબિલિટી માત્ર 1200 મીટર હતી, ત્યારે પાયલટ ભૂલથી ખોટા રનવે પર ઉતરી ગયા. ક્રૂ મેમ્બર્સે જણાવ્યું કે ટચડાઉનથી ચાર નોટિકલ માઈલ પહેલા ILS સિગ્નલ ગાયબ થઈ ગયો હતો. સમાંતર બનેલા બંને રનવેને અલગ-અલગ ઓળખવા મુશ્કેલ બની ગયા, જેના કારણે પાયલટ ભ્રમિત થઈ ગયા.
Related Articles
મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરલમની નહીં...', ખડગેનું વિવાદાસ્પદ નિવેદન
મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી...
Apr 05, 2026
અશોક ખરાતની કૉલ ડિટેલ લીક થતા મહારાષ્ટ્રમાં હડકંપ, ફડણવીસ દ્વારા તપાસના આદેશ
અશોક ખરાતની કૉલ ડિટેલ લીક થતા મહારાષ્ટ્ર...
Apr 05, 2026
'ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!',મોદીની TMCને ચેતવણી
'ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!',મોદીની TM...
Apr 05, 2026
ધનબાદમાં ગેસ કટર સિલિન્ડર ફાટતા ત્રણના મોત, CISFના અનેક જવાનોને ઈજા
ધનબાદમાં ગેસ કટર સિલિન્ડર ફાટતા ત્રણના મ...
Apr 05, 2026
ચૂંટણી વચ્ચે ભાજપે શરૂ કર્યો 'અનામત'નો ખેલ, SC-STનું રિઝર્વેશન ડબલ, OBCને પણ લાભ
ચૂંટણી વચ્ચે ભાજપે શરૂ કર્યો 'અનામત'નો ખ...
Apr 05, 2026
ભાજપના 'સિંઘમ' સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં
ભાજપના 'સિંઘમ' સાઈડલાઈન: તમિલનાડુમાં અન્...
Apr 03, 2026
Trending NEWS
04 April, 2026
04 April, 2026
03 April, 2026
03 April, 2026
03 April, 2026
03 April, 2026
03 April, 2026
02 April, 2026
02 April, 2026
02 April, 2026