કેનેડામાં ભારતીય મૂળના અનીતા આનંદ સંભાળશે વિદેશ મંત્રીની જવાબદારીઃ ગીતા પર હાથ મૂકીને લીધા શપથ

May 14, 2025

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંગળવારે (13 મે) પોતાના કેબિનેટમાં મોટા બદલાવની જાહેરાત કરી છે, જેમાં ભારતીય મૂળના અનીતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નવનિયુક્ત લિબરલ સરકારની રચના હેઠળ આ પગલું લેવાયું છે. 

અનીતા આનંદે મંગળવારે ગીતા પર હાથ મૂકીને નવા વિદેશ મંત્રીના રૂપે શપથ લીધાં હતાં. તે કેનેડાની વિદેશ મંત્રી બનનારા પહેલાં હિન્દુ મહિલા પણ છે. કેનેડા અનેક વિદેશી મામલાના પડકારનો
સામનો કરી રહ્યું છે. 

આ વર્ષની શરૂઆતમાં જસ્ટિન ટ્રૂડોની જગ્યા લેનારા અને ગત મહિને ચૂંટણી જીતનારા કાર્નીએ અનીતા આનંદને મેલાની જૉલીની જગ્યાએ વિદેશ મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. મેલાનીને હવે ઉદ્યોગ
મંત્રી બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ પહેલા અનીતાએ સંરક્ષણ મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. 

આ મુદ્દે કેનેડાના વડાપ્રધાન કાર્નીએ કહ્યું કે, કેનેડાના લોકોએ આ નવી સરકારને સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે એક નવા આર્થિક અને સુરક્ષા સંબંધને વ્યાખ્યાયિત કરવા અને તમામ કેનેડાના લોકોને
એક મજબૂત અર્થવ્યવસ્થા બનાવવા માટે જનાદેશ સાથે ચૂંટી છે. રાજા ચાર્લ્સ તૃતીય 27 મે ના દિવસે સંદને ફરી શરૂ કરવા પર કેનેડાની સરકારની પ્રાથમિકતાઓને રેખાંકિત કરતા ભાષણ આપશે. 

અનીતા આનંદનો જન્મ કેંટવિલે, નોવા સ્કોટિયામાં થયો હતો. તેમના માતા-પિતા ફિઝિશિયન હતાં. તેમના પિતા તમિલનાડુ અને માતા પંજાબથી છે. અનીતાની બે બહેનો પણ છે.