Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

વેનકુવરમાં ખાલિસ્તાની સમર્થકોનો ગુરુદ્વારા પર હુમલો, શીખ સમુદાયમાં ભારે રોષ

April 21, 2025

કેનેડામાં હિન્દુઓ અને હિન્દુ મંદિરો ઉપર હુમલો કરવાનો સિલસિલો અટકવાનું નામ જ લઈ રહ્યો નથી. કેનાડાના વેનકુવરમાં રોસ સ્ટ્રીટ ગુરુદ્વારા પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. સમર્થકોએ અહીં ગ્રેફિટી સાથે ખાલિસ્તાની સૂત્રો લખ્યા છે. આ ઘટના બાદ શીખ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેના માટે શીખ અલગાવવાદીઓના એક નાના જૂથને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે શનિવારે ગુરુદ્વારામાં તોડફોડની ફરિયાદ મળ્યા પછી તપાસ શરૂ કરવામાં આવી છે. વેનકુવર પોલીસ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે પોલીસ ગુરુદ્વારા પર લખેલા સૂત્રની તપાસ કરી રહી છે. જો કે આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ મામલે કોઈ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ નથી. આ ઘટના બાદ રોસ સ્ટ્રીટ ગુરુદ્વારા ચલાવતી ખાલસા દિવાન સોસાયટીએ તેને શીખ સમુદાયમાં ભય અને વિભાજન પેદા કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. આ ઘટના બાદ આસપાસમાં રહેતા લોકોમાં ભારે ડર જોવા મળી રહ્યો છે.