Breaking News :
સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂરતો સ્ટોક ટ્રમ્પની ધમકી બાદ પણ ઈરાન અડીખમ! સીઝફાયર અને હોર્મુઝ સ્ટ્રેટ અંગે પાકિસ્તાનનો પ્રસ્તાવ ઠુકરાવ્યો ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી કોલકાતામાં રાજકીય હિંસા: ભાજપના કાર્યાલય પર હુમલાના આરોપમાં TMC ઉમેદવાર રત્ના ચેટર્જી વિરુદ્ધ FIR કેજરીવાલની હાઈકોર્ટમાં મોટી માંગ: લિકર પોલિસી કેસમાંથી જસ્ટિસ સ્વર્ણાકાંત શર્માને હટાવવા અરજી

કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસનનો મોટો નિર્ણય, VIP દર્શન અને સ્પર્શ દર્શન બંધ

December 26, 2025

ધાર્મિક સ્થળો અને પર્યટક સ્થળો પર ભીડ વધી રહી છે. ભીડને પહોંચી વળવા માટે કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે. ક્રિસમસનું વેકેશન અને વળી જે લોકોએ નોકરીમાં આખુ વર્ષ રજા ન લીધી હોય તેઓ ડિસેમ્બરમાં તો રજા લેવાના જ. એટલે હાલમાં કોઇ ફરવાલાયક સ્થળ હોય કે પછી ધાર્મિક સ્થળ. લોકોનો ધસારો વધી ગયો છે.

દેશના ખૂણે ખૂણેથી ભક્તો બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે આવી રહ્યા છે. ભીડને નિયંત્રિત કરવા માટે ભક્તોને ઝિગ-ઝેગ લાઇન સિસ્ટમ દ્વારા મંદિર પરિસરમાં દિશામાન કરવામાં આવશે. દરરોજ બે લાખથી વધુ ભક્તો દર્શન માટે આવે છે. વર્ષના છેલ્લા દિવસે અને નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ ભક્તોની સંખ્યા છ લાખ સુધી પહોંચવાની ધારણા છે.જેને લઇને મંદિર પ્રશાસન દ્વારા સ્પર્શ દર્શન અને વીઆઇપી દર્શન હાલ પૂરતો બંધ કરવાનો નિર્ણય લીધો છે.