બિહારની ચૂંટણીમાં ગડબડ થઈ, પરંતુ નક્કર પુરાવા નથી'- પ્રશાંત કિશોર
November 23, 2025
અમને ધાર્યા પ્રમાણે પરિણામ ન મળ્યું: પ્રશાંત કિશોર
દિલ્હી- જન સુરાજના સંસ્થાપક અને પૂર્વ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (PK)એ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાની પાર્ટીની કારમી હાર બાદ પહેલીવાર ખુલીને નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો કે, ચૂંટણીમાં 'રિગ્ડ' એટલે પ્રભાવિત કે ગડબડ લાગે છે, જોકે તેમણે એ પણ સ્વીકાર્યું કે હાલમાં તેમની પાસે કોઈ જરૂરી પુરાવા નથી. ખાનગી ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં પ્રશાંત કિશોરે કહ્યું કે, 'તેમની પાર્ટીની હાર જેટલી મોટી દેખાઈ રહી છે, જમીની હકીકત તેનાથી બિલકુલ અલગ છે. સુરાજની અનેક મહિનાઓથી ચાલેલી યાત્રા દરમિયાન જનતાનો ઉત્સાહ, સમર્થન અને ફીડબેક ઘણો સકારાત્મક હતો, પરંતુ મતદાન પરિણામમાં તે ન જોવા મળ્યું.'
પ્રશાંત કિશોરે કહ્યું કે, 'ચૂંટણીમાં એવા પરિણામો જોવા મળ્યા જેનો કોઈ તાર્કિક આધાર નથી દેખાયો. કેટલીક અદ્રશ્ય શક્તિઓ હતી. એવી પાર્ટીઓને મત મળ્યા જેમને લોકો જાણતા પણ ન હતા. કેટલાક લોકો મને કહી રહ્યા છે કે બોલો EVMમાં છેડછાડ થઈ, પરંતુ મારી પાસે તેનો કોઈ પુરાવો નથી. છતાં કેટલીક વસ્તુઓ મેળ નથી ખાતી. પહેલી નજરમાં લાગે છે કે કંઈક ખોટું થયું, પરંતુ શું થયું તે હજુ નથી ખબર. વોટિંગ પેટર્ન અને ગ્રાઉન્ડ રિપોર્ટ એકબીજા સાથે બિલકુલ મેળ નથી ખાતા, જેને લઈને શંકા વધુ ગાઢ બની છે.' પ્રશાંત કિશોરે વધુ એક ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, 'NDAએ હજારો મહિલાઓને 10,000 રૂપિયા રોકડ વહેંચ્યા, અને આ કામગીરી ચૂંટણી જાહેર થવાથી લઈને મતદાનના દિવસ સુધી ચાલી. તેમના અનુસાર, આ રકમ માત્ર પહેલો હપ્તો હતો.'
Related Articles
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધ...
Jun 23, 2026
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવ...
Jun 23, 2026
અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ
અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇ...
Jun 23, 2026
Trending NEWS
23 June, 2026
23 June, 2026
23 June, 2026
23 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026