બિહાર ચૂંટણી ટાણે JMMના તેવરથી મહાગઠબંધનની મુશ્કેલી વધશે
October 12, 2025
ઝામુમોએ આરજેડીને ચેતવતાં કહ્યું- 12 બેઠક આપો નહીંતર અમને ચૂંટણી લડતા આવડે છે
રાઘોપુર : બિહાર વિધાનસભા ચૂંટણીનો ગરમાવો ઝારખંડ સુધી પહોંચ્યો છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા (JMM)એ મહાગઠબંધન I.N.D.I.A બ્લોકને અલ્ટીમેટમ આપી દીધું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સુપ્રિયો ભટ્ટાચાર્યએ શનિવારે (11 ઓક્ટોબર) સ્પષ્ટ કહી દીધું કે, જો 14 ઓક્ટોબર સુધી બેઠક વહેંચણી પર સન્માનજનક સંમતિ નથી બનતી, તો JMM ખુદ પોતોનો રસ્તો નક્કી કરી લેશે.
સુપ્રિયો ભટ્ટાચાર્યએ કહ્યું કે, 'અમે બિહારમાં ઓછામાં ઓછા 12 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવા ઈચ્છીએ છીએ. ઝારખંડમાં જ્યારે અમે ગઠબંધન કર્યું ત્યારે કોંગ્રેસ, આરજેડી અને CPI(ML)ને સન્માનજનક બેઠક આપવામાં આવી હતી. હવે અમે આશા કરીએ છીએ કે, બિહારમાં અમને પણ એ જ સન્માન મળશે. જો આવું ન થયું તો 15 ઓક્ટોબરે થતી JMM ની કેન્દ્રીય સમિતિની બેઠકમાં અમે સ્વતંત્ર નિર્ણય લઇશું. JMM કોઈની બી-ટીમ નથી. પાર્ટીની પોતાની તાકાત અને જનાધાર છે. અમે I.N.D.I.A ગઠબંધનનો ભાગ છીએ, પરંતુ જો અમારી સાથે અન્યાય થાય, તો અમે ચૂપ નહીં રહીએ. JMM એક સ્વતંત્ર રાજકીય પાર્ટી છે અને અમને ચૂંટણી લડતા આવડે છે, ખાસ કરીને ભાજપ સામે.
JMMના આ નિવેદને મહાગઠબંધનની અસહજતા વધારી છે. બિહારમાં RJD, કોંગ્રેસ, CPI(ML) અને અન્ય નાના દળો વચ્ચે બેઠક વહેંચણીને લઈને પહેલાં જ ખેંચતાણ ચાલી રહી છે. હવે JMMના આ અલ્ટીમેટમથી I.N.D.I.A ગઠબંધનની એકજૂટતા પર સવાલ ઉઠવા લાગ્યા છે.
Related Articles
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધ...
Jun 23, 2026
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવ...
Jun 23, 2026
Trending NEWS
23 June, 2026
23 June, 2026
23 June, 2026
23 June, 2026
23 June, 2026
23 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026