BMCમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસની જાહેરાત, ઠાકરે-પવારને ઝટકો
November 10, 2025
મુંબઈ- મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. રાજ્યમાં બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)ની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા કોંગ્રેસે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે જાહેરાત કરી છે કે, બીએમસીની ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે.
કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારેનાગપુરમાં સત્તાવાર કહ્યું છે કે, અમારા સ્થાનિક નેતાઓએ અમારી પાર્ટીને એકલા આગળ વધવાની વિનંતી કરી છે. આ અંગે મેં હાઇકમાન્ડને વાત કરી હતી, તો હાઇકમાન્ડે અમને કહ્યું છે કે, સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવે. મુંબઈ કોંગ્રેસમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, એકલા હાથે ચૂંટણી લડવામાં આવે.
કોંગ્રેસે બીએમસીની ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય કરીને મહાવિકાસ આઘાડી (MVA) ગઠબંધનની ચિંતા વધારી દીધી છે. આ ગઠબંધનમાં કોંગ્રેસની સાથે ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી અને શરદ પવારની એનસીપી એસપી પાર્ટી સામેલ છે. ઉલ્લેખનીય છે કે, બીએમસીની ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી, ત્યારે તે પહેલા જ રાજ્યમાં રાજકીય ગરમાવો શરુ થઈ ગયો છે.
કોંગ્રેસના મુંબઈ એકમે 6 નવેમ્બરે એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, કોંગ્રેસે બીએમસી ચૂંટણીમાં લડવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારોને અરજી કરવા કહ્યું હતું, જેમાં 1150થી વધુ અરજી આવી છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ વર્ષા ગાયકવાડે ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે.
Related Articles
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધ...
Jun 23, 2026
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવ...
Jun 23, 2026
Trending NEWS
23 June, 2026
23 June, 2026
23 June, 2026
23 June, 2026
23 June, 2026
23 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026