કાઠમંડુમાંથી કર્ફ્યુ હટ્યો, નવનિયુક્ત PMને મળ્યા ભારતીય રાજદૂત

September 13, 2025

કાઠમંડુમાંથી કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. સેના દ્વારા કર્ફ્યુ અને પ્રતિબંધક આદેશો લાદવામાં આવ્યા હતા, જે આજે સવારે 5 વાગ્યાથી હટાવી લેવામાં આવ્યા હતા. નેપાળમાં વચગાળાની સરકારની રચના અને પરિસ્થિતિ સામાન્ય થયા બાદ સેનાએ આ નિર્ણય લીધો છે. જોકે સેના થોડા વધુ દિવસો સુધી રસ્તાઓ પર રહેવાની ધારણા છે.

એવું પણ જાણવા મળ્યું છે કે 5 માર્ચ, 2026 પહેલા નેપાળમાં ચૂંટણીઓ યોજાશે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે, પીએમ સુશીલા કાર્કીની ભલામણ મુજબ, વર્તમાન પ્રતિનિધિ ગૃહનું વિસર્જન કર્યું અને નવા પ્રતિનિધિ ગૃહની ચૂંટણી માટે તારીખ નક્કી કરી હતી.

નેપાળમાં ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવે નેપાળના નવનિયુક્ત કાર્યકારી વડા પ્રધાન સુશીલા કાર્કીને મળ્યા અને તેમને અભિનંદન આપ્યા. તેમણે નેપાળને આ કટોકટીમાંથી બહાર નીકળવા માટે શક્ય તમામ મદદ કરવાની ખાતરી પણ આપી.