કરો યા મરો, બીજો કોઈ રસ્તો જ નથી..' લંડનમાં વિરોધની આગમાં મસ્કે ઘી કેમ હોમ્યું?

September 14, 2025

બ્રિટનમાં ઈમિગ્રેશન સામે આંદોલનની આગ ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. લંડનમાં ઇમિગ્રેશન વિરોધી કાર્યકર્તા ટોમી રોબિન્સનના નેતૃત્વમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે પણ આગમાં ઘી હોમવાનો  પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, 'હવે બ્રિટનમાં સત્તા પરિવર્તનની જરૂર છે. દેખાવકારો વિરોધીઓ પાસે કરો યા મરો સિવાય બીજો કોઈ રસ્તો જ નથી.
બ્રિટનમાં આંદોલન અંગે દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે કહ્યું કે બ્રિટનની અવદશા શરૂ થઈ ગઈ છે અને આવનારા સમયમાં તે સમગ્ર દેશનો વિનાશ તરફ દોરી જશે. મોટા પાયે માઈગ્રેશનના કારણે બ્રિટનમાં સંકટ સર્જાઈ રહ્યું છે. મોટી હિંસા થવાની છે. આવી સ્થિતિમાં દેખાવકારો પાસે ફક્ત કરો યા મરો સિવાય બીજો કોઈ રસ્તો જ નથી.'
યુકેના પ્રધાનમંત્રી કીર સ્ટારમરને લઈને ઈલોન મસ્કે કહ્યું, મારો સંદેશ એ છે કે હિંસાની આગ ચોક્કસ તમારા સુધી પહોંચશે. આવી સ્થિતિમાં તમારે લડવું પડશે. તમે ઇચ્છો કે ન ઇચ્છો, હિંસા થશે જ. મને લાગે છે કે હવે કીર સ્ટાર્મરના નેતૃત્વ હેઠળની લેબર સરકારને ઉથલાવી પાડવાની જરૂર છે. તમારી પાસે ચાર વર્ષ નથી. આગામી ચૂંટણીઓ માટે હજુ ઘણો સમય છે. પહેલા કંઈક કરવું જોઈએ. સંસદનું વિસર્જન કરવું જોઈએ અને ફરીથી મતદાન કરાવવું જોઈએ.