Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

મ્યાનમારમાં ભૂકંપે વિનાશ વેર્યો, ઈસરોએ જાહેર કરી વિનાશની સેટેલાઈટ તસવીરો

April 01, 2025

ગયા શુક્રવારે ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં મ્યાનમારમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. ભારત સહિત વિવિધ દેશો મ્યાનમારને મદદ કરી રહ્યા છે અને ત્યાં બચાવ કામગીરી પણ ચલાવી રહ્યા છે. આ બધા વચ્ચે ઈસરોએ મ્યાનમારમાં ભૂકંપથી થયેલા વ્યાપક નુકસાનની સેટેલાઇટ તસવીરો જાહેર કરી છે.

ISROએ તેના સૌથી બેસ્ટ પૃથ્વી ઇમેજિંગ ઉપગ્રહ કાર્ટોસેટ-3 નો ઉપયોગ કરીને પૃથ્વીથી 500 કિલોમીટરની ઊંચાઈએથી મ્યાનમારમાં થયેલા વિનાશની તસવીરો કેપ્ચર કરી છે. ISROનું કાર્ટોસેટ-3 એ 50 સેન્ટિમીટરથી ઓછા રિઝોલ્યુશન પર તસવીરો લેવામાં સક્ષમ છે. જે 2019 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ભૂકંપના એક દિવસ બાદ 29 માર્ચના રોજ ઈસરોએ મ્યાનમારના માંડલે અને સેંગોગ શહેરની તસવીરો લીધી હતી. ઈસરોએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મંડલે શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું છે.