વિવાહ પંચમી પર અયોધ્યામાં ધ્વજારોહણ થશે, જાણો ધ્વજ ફરકાવવાનું શુભ મુહૂર્ત
November 24, 2025
ભગવાન શ્રીરામ અને માતા સીતાના પવિત્ર લગ્નની સ્મૃતિમાં દર વર્ષે ભવ્ય કાર્યક્રમો યોજાય છે, અને આ વખતે પણ શહેરનું વાતાવરણ ખુબજ ભક્તિમય બની ગયું છે. અયોધ્યાના વિવિધ મંદિરો અને ધાર્મિક સંસ્થાઓમાં વિશેષ પૂજન, ભજન-કીર્તન અને શોભાયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
વિવાહ પંચમીના શુભ પ્રસંગે અયોધ્યાના અનેક મુખ્ય મંદિરોમાં પરંપરાગત ધ્વજારોહણનું આયોજન કરવામાં આવશે. માન્યતા છે કે આ દિવસે શુભ મુહૂર્તમાં ધ્વજ ફરકાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સદ્ભાગ્યનો વાસ થાય છે. સાથે જ શ્રીરામ-સીતા લગ્નોત્સવનું આ એક મહત્વપૂર્ણ ધાર્મિક પ્રતિક પણ માનવામાં આવે છે.
શુભ મુહૂર્તની વાત કરીએ તો, જ્યોતિષાચાર્યો મુજબ વિવાહ પંચમીના દિવસે બ્રહ્મ મુહૂર્તથી બપોર સુધીનો સમય ખૂબ જ શુભ ગણાય છે. ધ્વજારોહણ માટે સવારે 7:15 થી 9:05 કલાક સુધીનો સમય અત્યંત મંગલકારી માનવામાં આવે છે.
આ સમયે ધ્વજ ફરકાવવાથી વિશેષ પુણ્ય અને કલ્યાણકારી ફળ મળવાનો વિશ્વાસ છે, કારણ કે આ સમય દરમિયાન તિથિઓ અને નક્ષત્રોનો શુભ સંયોગ રહે છે. અનેક મંદિરોમાં ધ્વજારોહણ આ જ સમયમાં યોજાશે. ઉપરાંત બપોરના 11:40 થી 12:25 દરમિયાન અભિજિત મુહૂર્ત પણ શુભ માનવામાં આવે છે, જેમાં વિશેષ પૂજા-વિધિઓ યોજાશે.
Related Articles
ઉત્તર પ્રદેશ ચૂંટણીની તૈયારી, ચિરાગ પાસવાનના નિવેદને ભાજપનું વધાર્યું ટેન્શન
ઉત્તર પ્રદેશ ચૂંટણીની તૈયારી, ચિરાગ પાસવ...
Jul 05, 2026
12 વર્ષમાં પેપર લીકની 90મી ઘટના, રાહુલ ગાંધીની આગેવાનીમાં આંદોલન થશે
12 વર્ષમાં પેપર લીકની 90મી ઘટના, રાહુલ...
Jul 05, 2026
વરસાદનો કહેર, દિલ્હીમાં અનેક વિસ્તારો જળબંબાકાર, 15 ફ્લાઈટને અસર
વરસાદનો કહેર, દિલ્હીમાં અનેક વિસ્તારો જળ...
Jul 05, 2026
બદ્રિનાથ ધામમાં દાન મામલે હોબાળો ! CCTVની તપાસ બાદ મંદિર સમિતિ એક્શનમાં
બદ્રિનાથ ધામમાં દાન મામલે હોબાળો ! CCTVન...
Jul 05, 2026
ડ્રીમ પ્રોજેક્ટમાં કરોડોનું સ્કેમ ! અભિષેક બેનરજીની મુશ્કેલી વધી
ડ્રીમ પ્રોજેક્ટમાં કરોડોનું સ્કેમ ! અભિષ...
Jul 05, 2026
હોર્મુઝમાંથી પસાર થયેલા ભારતીય જહાજ પર ભીષણ ગોળીબાર થયો
હોર્મુઝમાંથી પસાર થયેલા ભારતીય જહાજ પર ભ...
Jul 03, 2026
Trending NEWS
04 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
02 July, 2026
02 July, 2026