ઈચ્છામૃત્યુ પર સરકારની નવી ગાઈડલાઇન: દર્દીઓથી લાઈફ સપોર્ટ હટાવવાની શરતો બદલાઈ

September 29, 2024

દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઈડલાઈન રજૂ કરી છે, જેમાં હોસ્પિટલ દ્વારા રચવામાં આવેલા પ્રાથમિક અને માધ્યમિક બંને મેડિકલ બોર્ડ તેમજ દર્દીના પરિવાર અને સરોગેટ મંજૂરી આપે છે, તો ગંભીર રૂપે જીવન રક્ષક પ્રણાલી (લાઇફ સપોર્ટ સિસ્ટમ) પાછી લઈ શકાય છે. તેને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ અથવા ગંભીર રૂપે બીમાર દર્દીઓનો લાઇફ સપોર્ટ હટાવવા બાબતે મહત્ત્વનું પગલું માનવામાં આવે છે. સાર્વજનિક ટિપ્પણી માટે રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ દિશા-નિર્દેશોમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આઈસીયુમાં દાખલ ઘણાં ગંભીરરૂપે બીમાર છે અને તેમના જીવન રક્ષક સારવાર (એલએસટી)થી લાભ મળવાની આશા નથી. એવામાં મેકેનિકલ વેન્ટિલેશન, સર્જિકલ પ્રક્રિયા, પેરેન્ટલ ન્યૂટ્રિશન અને એક્સ્ટ્રાકૉર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિડન (ઈસીએમઓ) સામેલ છે.

 

જોકે, આ ગાઈડલાઈન આટલા સુધી સિમિત નથી. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, 'આવી પરિસ્થિતિમાં, એસલએસટી બિનલાભકારી હોય છે અને દર્દીઓને અનાવશ્યરક બોજ અને પીડા વધારે છે તેથી, તેને ખૂબ જ અયોગ્ય માનવામાં આવે છે. આ સિવાય, પરિવારમાં ભાવનાત્મક તણાવ અને આર્થિક મુશ્કેલીની સાથે વ્યાવસાયિક તબીબી સંભાળ રાખનાર માટે નૈતિક સંકટ વધે છે. આવા દર્દીઓમાં એલએસટી પાછું ખેંચી લેવું એ દુનિયાભરમાં ICU સંભાળનું માનક માનવામાં આવે છથે અને ઘણી કોર્ટ દ્વારા તેનું સમર્થન પણ કરવામાં આવ્યું છે. ટર્મિનલ ઇલનેસ એક અપરિવર્તનીય અથવા સારવાર ન થઈ શકે તેવી સ્થિતિને કહેવામાં આવે છે, જેના કારણે નજીકના ભવિષ્યમાં મૃત્યુ અનિવાર્ય છે. માથાની ગંભીર ઈજા, દર્દનાક અને જીવલેણ ઈજા જે 72 કલાક અથવા તેનાથી વધારે સમય પછી પણ ઠીક નથી થતી, તેને પણ તેમાં સામેલ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયની ડ્રાફ્ટ ગાઈડલાઈન અનુસાર, જો કોઈ દર્દી બ્રેઇન ડેડ અથવા રોગની સારવાર દરમિયાન ખબર પડે છે કે, તેને એગ્રેસિવ મેડિકલ ટ્રીટમેન્ટથી લાભ થવાની સંભાવના નથી અથવા જો દર્દી/સરોગેટે રોગનું નિદાન કર્યાં બાદ, લાઇફ સપોર્ટ રાખવાથી લેખિત ઈનકાર કરી દીધો છે, તો તેને પાછો લઈ શકાય છે.