'હું નીતિશ કુમાર..' 10મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા 'સુશાસન બાબુ', PM મોદી હાજર રહ્યા
November 20, 2025
બિહારમાં વિધાનસભા ચૂંટણી બાદ આજે NDA સરકારની રચના થઈ છે. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજિત સમારોહમાં જનતા દળ યુનાઈટેડના સર્વોચ્ચ નેતા નીતિશ કુમારે રેકોર્ડબ્રેક 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. બિહારના રાજ્યપાલ મોહમ્મદ આરિફ ખાને તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા.
નીતિશ કુમારની સાથે તેમની કેબિનેટમાં કુલ 26 મંત્રીઓ રહેશે. જેમાં ભારતીય જનતા પાર્ટીના 14, જનતા દળ યુનાઈટેડના 8 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા. 26માંથી ત્રણ મહિલા મંત્રી છે જ્યારે એક મુસ્લિમને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી તરફથી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર નાયબ મુખ્યમંત્રી બન્યા.
શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જે પી નડ્ડા તથા NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રી તથા કેટલાક કેન્દ્રીય મંત્રી હાજર રહ્યા હતા.
નીતિશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈને ઈતિહાસ રચ્યો. તેઓ નવેમ્બર 2005માં પહેલી વખત મુખ્યમંત્રી બન્યા હતા. તે બાદ તેમણે 2010, 2015માં બે વખત, 2017, 2020, 2022માં બે વખત અને 2024માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
ભાજપના ધારાસભ્ય દળના નેતા સમ્રાટ ચૌધરીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેમના બાદ વિજય સિન્હાએ પણ બીજા નાયબ મુખ્યમંત્રી તરીકે પદના શપથ લીધા હતા.
બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં બની રહેલી નવી NDA સરકારમાં સામેલ થનારા મંત્રીઓના નામ નક્કી થઈ ગયા છે. મુખ્યમંત્રી નીતીશ કુમારની સાથે કુલ 25 સંભવિત મંત્રીઓ આજે શપથ ગ્રહણ કરશે. મંત્રીમંડળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને સૌથી વધુ હિસ્સો મળ્યો છે, જેમાં બે નાયબ મુખ્યમંત્રી સહિત કુલ 14 મંત્રીઓનો સમાવેશ થાય છે.
નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. NDAના સહયોગીઓ વચ્ચે બેઠકો અને વિભાગો વહેંચવામાં આવ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ગયાના ધારાસભ્ય પ્રેમ કુમાર વિધાનસભાના અધ્યક્ષ બનશે.
હિન્દુસ્તાની આવામ મોરચા (સેક્યુલર)માંથી કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીના પુત્ર સંતોષ કુમાર સુમન અને રાષ્ટ્રીય લોક મોરચા (આરએલએમ) ક્વોટામાંથી પાર્ટીના વડા ઉપેન્દ્ર કુશવાહાના પત્ની સ્નેહલતા કુશવાહ મંત્રી તરીકે શપથ લેશે.
નીતિશ કુમારના મંત્રીમંડળમાં ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)નો પણ સમાવેશ થશે. પ્રદેશ પ્રમુખ રાજુ તિવારી પાર્ટીના ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લેશે.
બિહારની નવી નીતિશ કુમાર સરકારમાં JDU ક્વોટામાંથી અશોક ચૌધરી સહિત કુલ આઠ મંત્રીઓની નિમણૂક કરવામાં આવશે. નીતિશ કુમાર સરકારમાં JDU મંત્રીઓની સંભવિત યાદીમાં શ્રવણ કુમાર, વિજેન્દ્ર યાદવ, જમા ખાન અને મદન સાહની તેમજ લેશી સિંહના રૂપમાં એક મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે.
બિહારની નવી સરકારમાં ભાજપના ક્વોટામાંથી નવ નવા ચહેરા મંત્રી તરીકે શપથ લેવાના છે. તેમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલનો પણ સમાવેશ થાય છે. બિહારમાં ભાજપને પહેલીવાર સૌથી મોટી પાર્ટી બનાવવા બદલ દિલીપ જયસ્વાલને પુરસ્કાર મળી શકે છે. નીતિશ કુમાર સરકારમાં ભાજપના ક્વોટામાંથી સંભવિત મંત્રીઓની યાદીમાં દિલીપ જયસ્વાલનું નામ પણ છે. બિહારની નવી નીતિશ કુમાર સરકારમાં 14 મંત્રીઓ ભાજપના ક્વોટામાંથી શપથ લેશે. તેમાં ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા, મંગલ પાંડે અને નીતિન નવીન જ એવા છે જેમણે પાછલી સરકારમાં મંત્રી તરીકે સેવા આપી હતી. તેમના સિવાયના બધા નવા ચહેરાઓ છે. રામકૃપાલ યાદવ અને સંજય ટાઇગર પણ ભાજપના ક્વોટામાંથી મંત્રી બનશે. નવી સરકારમાં ભાજપ તરફથી મહિલા મંત્રીઓ પણ હશે જેમાં શ્રેયસી સિંહ અને રમા નિષાદ શપથ લેશે. આઠ મંત્રીઓ જેડીયુ ક્વોટામાંથી હશે, અને એક-એક એલજેપી, હિન્દુસ્તાની આવામ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચામાંથી હશે.
શપથ ગ્રહણ સમારોહ અને મહેમાનોની યાદી
શપથ ગ્રહણ સમારોહ સવારે 10 વાગીને 20 મિનિટે ગાંધી મેદાનમાં યોજાશે. વડાપ્રધાન મોદી ઉપરાંત, આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીટીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, તેમજ ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ અને તેમના પુત્ર તથા આઈટી મંત્રી નારા લોકેશ, તેમજ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પણ આ સમારોહમાં હાજરી આપવાની પુષ્ટિ કરી છે.
નવી સરકારના શપથ ગ્રહણના દિવસે પણ, રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ના સહયોગી પક્ષો વચ્ચે મંત્રીમંડળમાં પદની વહેંચણીને લઈને મંત્રણાઓ અને ખેંચતાણનો દોર ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જોકે, વિધાનસભા અધ્યક્ષના પદને લઈને સહમતિ બની ગઈ છે. ભાજપના પ્રેમ કુમારને વિધાનસભાના નવા અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે, જ્યારે ઉપાધ્યક્ષનું પદ જેડીયુના ફાળે જશે. મંત્રીમંડળની અંતિમ રૂપરેખા શપથ ગ્રહણ બાદ સ્પષ્ટ થશે.
Related Articles
AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સાંસદે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો દાવો
AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સ...
Apr 24, 2026
કોંગ્રેસ સહિત 73 સાંસદોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયાની માંગ
કોંગ્રેસ સહિત 73 સાંસદોએ રાષ્ટ્રપતિને લખ...
Apr 24, 2026
7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની
7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ...
Apr 24, 2026
હું પક્ષપલટો નહીં કરું...', સુરતમાં ઉમેદવારો પાસે એફિડેવિટ લેવાયાની ચર્ચા
હું પક્ષપલટો નહીં કરું...', સુરતમાં ઉમેદ...
Apr 24, 2026
ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી
ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે...
Apr 23, 2026
રામનગરમાં બ્લાઈન્ડ વળાંક પર બસ ખાડામાં ખાબકતા 20 લોકોના મોત અને 20 મુસાફરો ઘાયલ
રામનગરમાં બ્લાઈન્ડ વળાંક પર બસ ખાડામાં ખ...
Apr 21, 2026
Trending NEWS
23 April, 2026
23 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
21 April, 2026